ભારતનાં એક અવનવા ગામડાં વિષે જાણવા મળ્યું છે કે ત્યાંનાં લોકો પોતાના ગાય-ભેંસનું દૂધ ધંધાકીય ધોરણે વેંચતા નથી પરંતુ મફતમાં લોકોમાં વહેંચે છે. કે પછી તેનું ઘી બનાવીને એક વર્ષ સુધી પોતાના ઘરમાં એકઠ્ઠું કરે છે અને ચિન્ધ્યા સાધુ બાબાનાં મંદિરમાં ચઢાવે છે.
આ ગામમાં દૂધ-દહીંનું વેચાણ મફતમાં
મધ્યપ્રદેશમાં આવેલું છે આ ગામ
ચિન્ધ્યા સાધુ બાબામાં શ્રદ્ધા ધરાવે છે ગ્રામજનો
મધ્યપ્રદેશ: વિભિન્નતાઓથી ભરપૂર એવો ભારત દેશ ગામડાંઓનો બનેલો એક વિશાળ દેશ છે. અહીં દરરોજ તમને કંઇક નવું જોવા જાણવા મળશે. ત્યારે મધ્યપ્રદેશમાં આવેલા બેતૂલમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં દૂધ-દહીં વેંચવામાં આવતાં નથી. આ ગામડાંમાં લોકો ફ્રીમાં દૂધ-દહીં-છાશ લોકોમાં વેંહચે છે. મહેમાનોને પ્રેમથી તાજૂં દૂધ પીવડાવામાં આવે છે. ચૂડિયાં ગામમાં દરેક ઘરમાંથી 5માંથી 10 ઢોર છે. અહીં દરરોજ 1000 લિટર દૂધ નિકળે છે.
ચિંધિયા સાધૂ બાબામાં લોકોની શ્રદ્ધા
ગામડાંના લોકો કહે છે કે વર્ષો પહેલાં અહીં ચિંધિયા સાધૂ બાબા નામના એક સંત આવ્યાં હતાં.તેમણે ગ્રામ્યજનોને દૂધ- દહીંનો વેપાર ન કરવા માટે જણાવ્યું અને ત્યારથી જ ગામડાંનાં લોકો બાબાની આ આજ્ઞાનું પાલન કરે છે. ચિંધિયા સાધુ બાબાની પાંચમી પેઢીનાં વંશજ કિશન મહારાજે કહ્યું કે'ગામડાંમાં કેટલાક લોકોએ દૂધ વેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને ધંધામાં નુક્સાન ભોગવવું પડ્યું. ત્યારબાદથી આ ગામમાં લોકોએ દૂધ-દહીં વેંચવાનું બંધ કરી દીધું'
9 સ્વસ્થ ભેંસોનું થયું મૃત્યુ
વંશજ કિશન મહારાજે વધુમાં કહ્યું કે 'ગામમાં એક પરિવાર હરિયાણાથી મોંઘી ભેંસ ખરીદીને લાવ્યાં હતાં. તેમણે ગામડાંમાં ડેરીનો વ્યવસાય પણ શરૂ કર્યો. અમુક લોકોએ તેમને આ કામ શરૂ કરતાં રોક્યો પણ હચો પણ તે માન્યાં નહીં. છેવટે એક વર્ષની અંદર તેમની 9 સ્વસ્થ ભેંસોનું મૃત્યુ થયું. આ સાથે તેમને આર્થિકરૂપે ઘણી નુક્સાની ભોગવવી પડી.'
ગરીબોમાં વહેંચી દેવામાં આવે છે દૂધ
ગામડાંમાં ઘણાં નાના પરિવારો આવેલા છે જેમની પાસે મોટી સંખ્યામાં ઢોર આવેલા છે. દરેક ઘરમાંથી આશરે 5-6 લિટર દૂધ નિકળે છે પરંતુ તેઓ દૂધ વેંચતા નથી પણ સવારનાં સમયમાં ગરીબોમાં મફતમાં વહેંચી દેવામાં આવે છે. આ ગામનાં લોકો બચેલા દૂધનું ઘી બનાવીને એકવર્ષ સુધી એકઠું કરે છે.
ચિંધિયા બાબાને અર્પે છે ઘી
વર્ષનાં અંતમાં ચિંધિયા સાધુ બાબાનાં મંદિરે મેળો ભરાય છે. વર્ષભર સંગ્રહિત કરેલ દેસી ઘીમાંથી ભોજન તૈયાર કરવામાં આવે છે. ગામનાં લોકો આ ભોજનને બાબાનો પ્રસાદ સમજીને ગ્રહણ કરે છે. લોકો તેને બાબાના આશિર્વાદ મેળવવાનો એક અવસર સમજે છે.