મધ્યપ્રદેશમાં જેલ પ્રશાસનની અસફળતાનો એક મામલો સામે આવ્યો છે. નીમચ જિલ્લા જેલમાંથી ચાર કેદીઓ રવિવારે સવારે ભાગવામાં સફળ થઇ ગયા.
ભોપાલ: પંજાબની નાભા જેલમાં એક કેદીની હત્યા થઈ છે. તો બીજી તરફ, મઘ્યપ્રદેશની જેલમાંથી પણ 4 કેદીઓ ફરાર થયાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની નીમચ જેલમાંથી ચાર કેદીઓ ફરાર થતા તંત્ર દોડતુ થયુ છે અને ચારેય કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સાથે જ ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. નીમચ જેલમાંથી ચાર કેદીઓ ફરાર થતા તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે. જેલ વ્યવસ્થાની સુરક્ષાને લઈને અનેક સવાલો સામે આવ્યા છે.
Madhya Pradesh: Four prisoners have fled from a jail in Neemuch district. More details awaited pic.twitter.com/7FZwT6dwuv
ઘટનાની વિગત એવી છે કે, આજે વહેલી સવારે ચાર કેદીઓ જેલ તોડીને ભાગવામાં સફળ થયા છે. જોકે, ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે હવે તંત્ર દોડતુ થયું છે. પોલીસનું કહેવું છે કે, ખૂબ જ ઝડપી ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.
નીમચ જિલ્લા જેલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા હોય છે. એના દરેક ખૂણેખૂણે પોલીસ તૈનાત છે. એવામાં ચાર કેદીઓનું જેલથી ફરાર થવું જેલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે. પોલિસ પ્રશાસન દળ બળની સાથે ફરાર કેદીઓે શોધવા માટે અભિયાન ચલાવી રહી છે.