રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે સરકારને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ આયાત સબસિસ્ટ્યૂશનને વધારો આપવાને લઈને સાવધાન કર્યા છે. તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ પ્રકારના પ્રયાસો થયા છે. પરંતુ સફળ નથી રહ્યા. રાજને કહ્યું કે જો આત્મનિર્ભર ભારત પહેલ એ વાત પર ભાર મુકે છે કે ટેક્સ લગાવીને import substitution તૈયાર કરવામાં આવશે, તો મારુ માનવું છે કે આ રસ્તો છે આપણે પહેલા અપનાવી ચૂક્યા છીએ અને તે અસફળ રહ્યો હતો. હું આ રસ્તે આગળ વધતા પહેલા સાવધાન કરવા માંગીશ.
આ રસ્તો આપણે પહેલા અપનાવી ચૂક્યા છીએ અને તે અસફળ રહ્યો હતો- રાજન
હું આ રસ્તે આગળ વધતા પહેલા સાવધાન કરવા માંગીશ- રાજન
પોતાની નિકાસને સસ્તી રાખવા માટે આયાતની જરુર હોય છે- રાજન
રાજને ભારતીય વિદ્યાભવનના એસ પી જૈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ફાઈનાન્સિયલ સ્ટડીઝ દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે નિકાસકારોને પોતાની નિકાસને સસ્તી રાખવા માટે આયાતની જરુર હોય છે. જેથી આ આયાતી માલનો ઉપયોગ નિકાસમાં કરી શકાય.
રાજને સ્પષ્ટ કર્યું કે ચીન પણ નિકાસની તાકાત પર આ જ રીતે ઉપર આવ્યો છે. તે બહારથી વિભિન્ન સામાનોની આયાત કરે છે તેને એસેમ્બલ કરે છે અને નિકાસ કરે છે. નિકાસ માટે તમારે આયાત કરવી પડશે. વધારે ટેક્સ ન લગાવો બલ્કી ભારતમાં ઉત્પાદન માટે યોગ્ય પ્લેટફોર્મ તૈયાર કરો.
તેમણે કહ્યું કે સરકાર દ્વારા લક્ષિત ખર્ચ દિર્ધકાલમાં ફાયદાકારક હોઈ શકે છે. મારુ માનવું છે કે તમામ ખર્ચ પર નજર રાખવી જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. આ ખુલ્લી ચેક બુક જાહેર કરવાનો સમય નથી. પરંતુ આવામાં લક્ષ્યને લઈને કરવામાં આવેલા ખર્ચ બુધ્ધિમાની અને સાવધાનીની સાથે કરવામાં આવે તો આ સારા પરિણામ આપી શકે છે.
તેમણે કહ્યું કે માળખાગત સુવિધાઓના વિકાસમાં એક મોટી અડચણ ભૂમિ અધિગ્રહણની છે. આ સાથે કેટલીક ટેક્નોલોજીમાં ફેરફારની જરુર છે. ભૂમિનો સારો રેકોર્ડ અને સ્પષ્ટ સ્વામિત્વ હોવું જોઈએ. કેટલાક રાજ્યોએ આ દિશામાં પહેલ કરી પરંતુ આપણે આખા દેશમાં આ કરવાની જરુર છે.