રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નારજગીની ચર્ચાઓની વચ્ચે તેમની અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની લગભગ 1 કલાકની મુલાકાત થઈ.
રાજેએ ગત એક અઠવાડિયે અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
શાહ અને રાજે વચ્ચે બધુ સહજ થઈ ગયું
વસુંધરા સમર્થકોએ એક નવું સંગઠન બનાવી લીધું
અમિત શાહ અને રાજેની મુલાકાત બાદ અલગ અલગ રાજનીતિક ચર્ચાઓ શરુ થઈ છે. ગત સપ્તાહમાં વસુંધરા રાજે ભાજપના અનેક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જેના કારણે કેન્દ્ર અને રાજસ્થાનના ભાજપના નેતાઓમાં હલચલ છે.
રાજેએ ગત એક અઠવાડિયે આ લોકો સાથે કરી મુલાકાત
એક સમાચાર મુજબ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેએ ગત એક અઠવાડિયામાં પાર્ટી ચીફ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને રાજસ્થાન ઈનચાર્જ અરુણ સિંહ સાથે મુલાકાત કરી છે.
હવે બન્નેની વચ્ચે બધુ સહજ થઈ ગયું
આ સમગ્ર મામલાથી અવગત ભાજપના એક સિનિયક નેતાએ જણાવ્યું કે સામાન્ય રીતે શાહની કોઈની સાથે બેઠક 10-15 મિનિટ સુધી ચાલે છે. કેમ કે તેમનું સિડ્યુલ ઘણુ બીઝિ રહે છે. પણ રાજે સાથે આ બેઠક લગભગ 1 કલાક સુધી ચાલી છે. તેમણે કહ્યું કે રાજે અને શાહની વચ્ચે અસહમતિઓ પર ચર્ચાઓ થતી રહે છે. પરંતુ હવે બન્નેની વચ્ચે બધુ સહજ થઈ ગયું છે.
વસુંધરા સમર્થકોએ એક નવું સંગઠન બનાવી લીધું
પાર્ટીથી વસુંધરાની અંતર વિશેષ કરીને રાજસ્થાન રાજનીતિક ગતિવિધિયોમાં વર્તાઈ રહ્યું છે. તેવામાં આ અંગે શાહ સાથે વાતચીત થઈ છે. ઉલ્લેખનીય છે તે આ મુલાકાત તેવા સમયે થઈ જ્યારે વસુંધરા સમર્થકોએ એક નવું સંગઠન બનાવી લીધું છે. જે બાદ ભાજપમાં તિરાડના સંકેત મળવા લાગ્યા. રાજેના સમર્થકોએ આ રાજકીય સંગઠનનું નામ વસુંધા રાજે સમર્થક રાજસ્થાન મંચ આપ્યું છે. આને લઈને કવાયદ શરુ કરી દેવાઈ. 25 જિલ્લામાં જિલ્લાધ્યક્ષ નિયુક્ત કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી અને આ ભાજપમાં પહેલી વાર થઈ રહ્યું છે. જ્યારે કોઈ નેતાના સમર્થકો દ્વારા અલગ રાજકીય ‘પિચ’ તૈયાર કરવામાં આવી રહી હોય. આ બાદથી રાજકારણમાં ચર્ચા હતી કે રાજે વિદ્રોહ કરી રહ્યા છે અને વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
પાર્ટીનો ચેહરો ફક્ત પીએમ મોદી
રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ નિવેદન જારી કરી કહ્યું કે આ વાતની જાણકારી ભાજપના તમામ નેતાઓને છે. જે લોકો આ સંગઠનમાં કામ કરી રહ્યા છે તે ભાજપના સક્રિય સભ્ય નથી. ભાજપ વ્યક્તિ આધારિત પાર્ટી નથી. આ સંગઠન આધારિત પાર્ટી છે. પાર્ટીનો ચેહરો ફક્ત પીએમ મોદી છે.
શાહ સાથે વાતચીત બાદ વસુંધરાનું વલણ શું હશે તે જલ્દી જાણવા મળશે
સંભવતઃ વસુંધરા અને તેમના સમર્થકોને ડર છે તે આગામી ચૂંટણીમાં તેમને સીએમનો ચહેરો ન બનાવાય. આ બાબતને લઈને જ અલગ મંચ તૈયાર કરી વસુંધરાની છબીને લોકોની વચ્ચે પહોંચાડવાની કવાયદ શરુ કરી દેવાઈ, હવે અમિત શાહ સાથે વાતચીત બાદ વસુંધરાનું વલણ શું હશે તે જલ્દી જાણવા મળશે.