નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસની દિગ્ગજ નેતા રાજીવ ગાંધીની આજે જન્મજયંતી છે. ત્યારે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત કેટલાક મોટા કોંગ્રેસ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji on his birth anniversary. We remember his efforts towards the nation.
જણાવી દઇએ કે રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગષ્ટ 1944ના રોજ થયો હતો. 21 મે 1991ના રોજ તેમની હત્યા કરી દેવાઇ હતી.
Delhi: Sonia Gandhi Rahul Gandhi Priyanka Gandhi Vadra and Robert Vadra pay tribute to former prime minster Rajiv Gandhi on his birth anniversary. pic.twitter.com/zNIzfmbFwa
રાજીવ ગાંધી 1984થી 1989 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. તમિલનાડુના શ્રીપેરંબુદુરમાં 21 મે 1991માં સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન એલટીટીઇના એક આત્મઘાતી હુમલાખોરે રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી.
1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ ભારે બહુમતિ સાથે પ્રધાનમંત્રી બન્યા હતા. રાજીવ ગાંધીની રાજનીતિમાં કોઇ રસ ન હતો અને તેઓ એક એરલાઇન પાયલટની નોકરી કરતા હતા અને તેમાં જ તેઓ ખુશ હતા. પરંતુ ઇમરજન્સી ઉપરાંત જ્યારે ઇન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી. ત્યારે વર્ષ 1980માં નાના ભાઇ સંજય ગાંધીની હવાઇ જહાજ દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ માતા ઇન્દિરા ગાંધીનો સહયોગ કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.