રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું અવસાન થયું છે. આજે સવારે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા.
પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન
95 વર્ષની વયે આજે સવારે થયું નિધન
સવારે 10 વાગ્યે અંતિમયાત્રા નિકળશે
ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા 20-25 દિવસથી તેમની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ હોસ્પિટલના પ્રણેલા અને પૂર્વ શિક્ષણમંત્રી સુશિલાબેન શેઠ (ઉ.વ.95)ની સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ હોવાથી તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહી છે કે, તેમની રાજકોટની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. સુશીલાબેનનું 95 વર્ષની વયે અવસાન થયું છે.