કોરોનાવાયરસથી વિશ્વમાં 2800 લોકોના મોત થયા બાદ ગુરુવારે સાઉદી અરેબિયાએ પવિત્ર શહેર મક્કામાં ઉમરાહ માટે આવતા શ્રદ્ધાળુનો પ્રવેશ બંધ કરી દીધો છે. સાઉદી સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે દેશના લોકોને વાયરસ ચેપથી બચાવવા માટે આ સિસ્ટમ અસ્થાયીરૂપે લાગુ કરવામાં આવી છે. મક્કા પછી ધાર્મિક વિધિઓ કરવા માટે મદીના જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
દર વર્ષે વિશ્વના 70 લાખ લોકો સાઉદી અરેબિયા પહોંચે છે, તેમાંથી મોટાભાગના લોકો હજ અથવા ઉમરાહ માટે આવે છે
સરકારે GCCના સભ્ય દેશો વચ્ચે રાષ્ટ્રીય ઓળખ કાર્ડ પર મુસાફરી પર પણ પ્રતિબંધ મૂક્યો
કોરોનાવાયરસથી વિશ્વમાં 2800 લોકોના મોત થયા બાદ ગુરુવારે સાઉદી અરેબિયાએ પવિત્ર શહેર મક્કામાં ઉમરાહ માટે આવતા શ્રદ્ધાળુનો પ્રવેશ બંધ કરી દીધો છે. સાઉદી સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે દેશના લોકોને વાયરસ ચેપથી બચાવવા માટે આ સિસ્ટમ અસ્થાયીરૂપે લાગુ કરવામાં આવી છે. મક્કા પછી ધાર્મિક વિધિઓ કરવા માટે મદીના જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
શું છે ઉમરાહ ને હજ વચ્ચેનો તફાવત?
આમ તો ઉમરાહ પણ હજની જેમ જ હોય છે પરંતુ નિશ્ચિત ઇસ્લામિક મહિનામાં મક્કા અને મદીનાની યાત્રાને હજ કહેવામાં આવે છે. આ સિવાય આ સ્થળોની ધાર્મિક મુલાકાતને વર્ષ દરમિયાન ઉમરાહ કહેવામાં આવે છે.
સાઉદીના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વિશ્વમાં કોરોનાવાયરસના ચેપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટુરિસ્ટ વિઝા પર આવતા પ્રવાસીઓને ચેપ ન લાગે તેને ધ્યાનમાં રાખીને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવે છે. જો કે અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ પરંતુ લોકોના સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ચેપ અટકાવવા માટે આ કાળજી લેવામાં આવી રહી છે.
JCC દેશના નાગરિકો ઉપર પણ પ્રતિબંધ
વિદેશીઓને અંદર આવતાં અટકાવવા ઉપરાંત સાઉદી અરેબિયાએ પડોશી દેશોના નાગરિકોની હિલચાલ પણ નિયંત્રિત કરી દીધી છે. આ અંતર્ગત સાઉદી અરેબિયા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સભ્ય દેશોના નાગરિકો પ્રતિબંધના સમયગાળા દરમિયાન પરસ્પર દેશોની મુસાફરી માટે રાષ્ટ્રીય ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. જો કે આ પ્રતિબંધ એ આ કાર્ડનો ઉપયોગ કરીને તેમના દેશ પરત ફરતા નાગરિકોને લાગુ થશે નહીં.
બધા જ એન્ટ્રી પોઈન્ટ્સ ઉપર ચાંપતી નજર
સાઉદી સરકારે કહ્યું કે દેશના તમામ એન્ટ્રી પોઇન્ટ પર આરોગ્ય અધિકારીઓ વિદેશથી આવતા દરેક મુસાફરોની તપાસ કરી રહ્યા છે. તમામ સાવચેતીઓ રાખ્યા બાદ જ તેમને દેશમાં પ્રવેશ આપવામાં આવશે.
દર વર્ષે દુનિયાના લગભગ 70 લાખ વિદેશી લોકો સાઉદી અરેબિયા પહોંચે છે. આ લોકોમાંના મોટા ભાગના જેદ્દાહ અને મદીના એરપોર્ટ દ્વારા દેશમાં પ્રવેશ કરે છે.
ચીનમાં કોરોનાવાયરસથી 2800 લોકોએ જીવ ગુમાવ્યા છે
ચીનના આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે કોરોનાવાયરસથી 2744 લોકોનાં મોત નીપજ્યાં છે. હુબેઈ પ્રાંતમાં 26 લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનમાં અત્યાર સુધીમાં ચેપના 78,487 કેસની પુષ્ટિ થઈ છે. જોકે નવા કેસોની સંખ્યા ઘટી છે. બુધવારે દેશમાં ફક્ત 433 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 29 લોકોનાં મોત નીપજ્યાં હતાં.