ગંગા મૈયાની હરિદ્વાર અને વારાણસીમાં થતી મહાઆરતીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી થશે, નર્મદા ગોરા ઘાટ ખાતે નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરાયું છે.
એકતા દિવસની ઉજવણીની તૈયારી
નર્મદા મૈયાની કરાશે મહાઆરતી
ગોરા ઘાટથી કરાશે મહાઆરતી
નર્મદા ગોરા ઘાટ ખાતે નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરાયું છે જેને લઈને કેવડિયાના ગોરા ઘાટ ખાતે અંદાજિત 14 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ઘાટ પણ તૈયાર કરાયો છે, મહત્વનું છે કે ગંગા મૈયાની હરિદ્વાર અને વારાણસીમાં થતી મહાઆરતીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી થશે, વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ નર્મદા એકમાત્ર એવી નદી છે જેની વિશ્વમાં પરિક્રમા થાય છે અને જેના દર્શન માત્રથી જ પાવન થવાય છે.
કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ
31 ઓક્ટોબરના રોજ એકતા દિવસ છે અને આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના હતા પરતું તેમના વિદેશ પ્રવાસને લઈને તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ થયો છે, હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે ગુજરાત આવે તેવું મનાઈ રહ્યું છે અને રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એકતા દિવસની ઉજવણીમાં હાજર રહેશે.
આરતીનું વારાણસીના કલાકારો દ્વારા ચાલી રહ્યું છે રિહર્સલ
મહત્વનું છે કે હવે કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે, જ્યાં દેશ- વિદેશથી લોકો ફરવા અને વિશ્વના સૌથી ઉચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ વિરાટ 182 મીટરની પ્રતિમા જે વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે હવે નર્મદા મૈયાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે કેવડિયા સ્થિત ગોરા ઘાટ ઉપર નમામી દેવી નર્મદા પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લાંબાઇ 131 મીટર અને ઊડાઈ 46 મીટરની છે. અદ્યતન નર્મદા ઘાટ તૈયાર થઈ જતા હાલ નર્મદા મૈયાની મહા આરતીનું વારાણસીના કલાકારો દ્વારા રિહર્સલ ચાલી રહ્યું છે.
નર્મદાના ગોરા ઘાટથી થશે નર્મદા મૈયાની આરતી
પુરાણોમાં નર્મદા પુરાણમાં માં નર્મદા નો મહિમા અપાર છે સાથે જ જે સ્થળે નર્મદા ઘાટ બની રહ્યો છે. તેની નજીક સુપ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. આ ઘાટ થકી ભાવિક ભકતો નર્મદા આરતીને મહાદેવની પૂજા અર્ચના થાય તેવું આયોજન તંત્ર કરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ મનોરંજનની સાથે ભક્તિ ભાવ પણ કરે તેવું આયોજન થઈ રહ્યું છે. નર્મદા આરતીની સાથે પ્રવાસીઓ નર્મદા સ્નાનનો લ્હાવો લઈ શકશે.