1000 કર્મચારીઓનો પીએફ સરકાર જમા કરાવશે
1000 થી વધારે કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં કર્મચારીઓના ભાગની 12 ટકા રકમ સરકાર જમા કરાવશે. આ સ્કીમ 1 ઓક્ટોબર 2020 ના રોજ લાગુ પાડવામાં આવી હતી જે 30 જુન 2021 સુધી હતી પરંતુ હવે સરકારે તેની અવધી વધારી દીધી છે.
કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારને મળશે રાહત
આ યોજના હેઠળ 15,000 રુપિયાથી ઓછા પગાર પર EPFO રજિસ્ટર્ડ કંપની કે સંસ્થામાં નોકરી મેળવનાર કોઈ પણ નવા કર્મચારીને લાભ મળશે. 15,000 થી ઓછો પગાર મેળવનાર ઈપીએફ ધારકની તા. 01.03.2020 થી 30.092020 સુધી કોરોના મહામારી દરમિયાન નોકરી જતી રહી હોય અને 01.10.2020 થી અથવા તે પછી નોકરી મળી હોય તો તેને પણ આ લાભ મળશે.
નાણા મંત્રીની મહત્વની જાહેરાતો
- કોવિડથી પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરન્ટી સ્કીમ.
- હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા.
- અન્ય સેક્ટર્સ માટે 60 હજાર કરોડ રૂપિયા.
- હેલ્થ સેક્ટર માટે લીધેલી લોન પર 7.95 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ નહિ હોય.
- અન્ય સેક્ટર્સ માટે વ્યાજ 8.25 ટકાથી વધુ નહિ હોય.
- ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે.
- નાના કારોબારી-ઈન્ડિવિઝ્યુઅલ એનબીએફસી, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુટમાંથી 1.25 લાખ સુધીની લોન લઈ શકશે.