એવા કેટલાય પ્રસંગો બનતા હોય છે જેમા નાણાંની સમસ્યાને કારણે અમુક નિર્ધારિત કામ અટકી જતા હોય છે. ક્યારેક અનેક પ્રયત્ન કરવા છતાંપણ નાણાં મળતા નથી અને અગવડતા સર્જાતી હોય છે. નાણાંભીડનું કારણ ક્યારેક ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ જવાબદાર છે. આપણા ધર્મ ગ્રંથોમાં વાસ્તુદોષના વિવિધ રીતે નીરાકરણ આપવામા આવ્યા છે. તે મુજબ કરવાથી વાસ્તુ દોષ દુર થાય છે અને ધન ક્યારેય ખુટતુ નથી.
ચીનના વાસ્તશાસ્ત્ર મુજબ લાફીંગ બુધ્ધાને સમૃધ્ધિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જો આપના ઘરમાં પોટલી રાખેલા લાફીંગ બુધ્ધા રાખવામાં આવે તો આર્થીક તકલીફો દુર થાય છે. અને ઘરમાં સમૃધ્ધિ અવિરત બની રહે છે. આ લાફીંગ બુધ્ધાને ઘરની ઉત્તર દિશામાં રાખવા જોઇએ.
વિંગ ચાઇમ લગાડવાથી પણ ઘરમાં વાસ્તુદોષ દુર થાય છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ ઓછી થાય છે.
નોકરીની જગ્યાએ અને ઘરમાં સમૃધ્ધિ વધારવામાંટે સોનાના સિક્કા વાળુ સમુદ્રી જહાજ રાખવાથી પણ ઘણો ફાયદો થાય છે.
ચાયનીઝ સીક્કાને પણ ફેંગસુઇમાં ખાસ માનવામાં આવે છે. જેના કારણે ધન-સંપદામાં ભરપુર વધારો થાય છે.
વાસ્તુદોષ દુર કરવામાંટે ધાતુમાંથી બનેલ કાચબાને ઘરમાં કે કામ કરવામના સ્થળે રાખવો ખુબ લાભદાયી માનવામાં આવે છે. આ ધાતુના કાચબાને ઘરના ડ્રોઇંગરૂમમાં ઉત્તર દિશામાં રાખવો જોઇએ.