પ્રાચીન સભ્યતામાં હડપ્પા સંસ્કૃતિને સૌથી જુની સંસ્કૃતિ માનવામાં આવે છે. જેના કચ્છના રણમાંથી અનેક પુરવાઓ અવશેષ રૂપે મળતા આવ્યા છે. આ સિલસિલો લગાતાર શરૂ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં ખોદકામ દરમિયાન પાંચહજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું તો સૌ ચોંકી ગયા. અહીં ખોદકામ દરમિયાન મળેલી 250 કબરોમાં શબ સાથે માટીના વાસણો અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં મળેલી આ કબરના તાર હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલા માનવામાં આવી રહ્યા છે. પ્રાચીન સભ્યતાના આધુનિક ઉજાગરનો આ અહેવાલ.
કચ્છના ધોળાવીરાથી 360 કિલોમીટર દૂર ખોદકામ દરમિયાન પાંચ હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે. જ્યાં જુદી જુદી 250 જેટલી કબરોમાં નરકંકાલ સાથે સાથે માટીના વાસણો અને તે વખતના ઘરેણા જેવી ચીજો પણ મળી આવી છે. અહીં પુરાતત્વ ખાતા દ્વારા જાન્યુઆરી મહીના બાદ બે મહિના સુધી ચાલેલા ખોદકામ દરમિયાન હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલું એક વિશાળ કબ્રસ્તાન મળી આવ્યું છે. આ કબ્રસ્તાન જોતાં એ વાતની શક્યતા પ્રબળ બની છે કે અહીં કોઈ સમયે મનુષ્યની મોટીસંખ્યા નિવાસ કરતી હશે.
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખટિયા ગામમાં આ ખોદકામ કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટીએ મળીને કર્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અહીં મળેલી 250થી વધારે કબરો 4,600 થી 5,200 વર્ષ જૂની હોઈ શકે છે. આ કબ્રસ્તાન 3000 બાય 300ના ઘેરાવામાં છે. જેમાં અત્યાર સુધીમાં 26 જેટલી કબરોનું ખોદકામ થઈ ચૂક્યું છે. જેમાંથી સૌથી મોટી કબર 6.9મીટરની છે જ્યારે સૌથી નાનામાં નાની કબર 1.2 મીટરની છે.
પુરાતત્ત્વવિદોને અહીં એક કબરમાં છ ફૂટ એક લાંબું મનુષ્યનું હાડશપજર પણ મળી આવ્યું છે. જે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે. આ હાડશપજરને કેરળ યૂનિવર્સિટીમાં લઈ જવાયું છે. જ્યાં તેની લિંગ, ઉંમર અને મૃત્યુનું સંભવિત કારણ જાણવા અભ્યાસ હાથ ધરવામાં આવશે. પહેલી વખત ગુજરાતમાં ચોરસ આકારમાં કબ્રસ્તાન મળી આવ્યું છે. જો કે આ પહેલા જે કબ્રસ્તાન મળતા હતા તે મોટે ભાગે ગોળાકાર કે અર્ધગોળાકારના મળી આવ્યા હતા. કબ્રસ્તાનની કબરોમાં માનવહાડશપજરો ઉપરાંત બાળકોની કબરો અને જાનવરોના અવશેષો પણ મળી આવ્યા છે. ખોદકામ દરમિયાન સીપીની બનેલી બંગડીઓ, પથ્થરની ચક્કીઓ અને પથ્થરની બનેલી ધારદાર બ્લડ પણ મળી આવી છે.
કબરોમાં માટીના વાસણો પણ મળી આવ્યા છે. એક કબરમાંથી વધુમાં વધુ 19 અને ઓછામાં ઓઠા 3 વાસણો શબના પગ પાસે મૂકાયેલા મળ્યા છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે, આવા વાસણો પાકિસ્તાનના આમરી, નાલ અને કોટથી પણ મળી આવ્યા છે. ભારતમાં ઉત્તરગુજરાતના નાગવાડા, છતરદા સહેલી, મોટી પીપળી અને કચ્છમાં સૂર કોટડા અને ધાનેડીથી મળ્યા છે. ખોદકામ દરમિયાન મળેલી ચીજવસ્તુઓનું પરીક્ષણ કરવા માટે ભૂરાસાયણિત પદ્ધિતિનો ઉપયોગ કરવામા આવશે. એ પછી જ ખબર પડી શકશે કે એ યુગના લોકોએ આ ચીજ વસ્તુઓ બનાવવા માટે કેવી ટેકનોલોજીનો અને કેવા પ્રકારની કાચી સામગ્રીનો ઉપયોગ કર્યો છે.