કોઈ વ્યક્તિને બે દિવસથી વધુ સમયથી 100 ડિગ્રીથી વધુ તાવ હોય, શરદી-ખાંસી કે લાળ આવવા લાગે તો તેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો મધ્યપ્રદેશમાં પહેલો કેસ સામે આવ્યો
રાજધાની ભોપાલમાં એક યુવકમાં વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
ગુરુવારે (16 માર્ચ) યુવક રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ખાંસી અને શરદીની હતી ફરિયાદ
સમગ્ર દેશમાં 1 જાન્યુઆરીથી H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 450 થી વધુ કેસ નોંધાયા છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો પહેલો કેસ મધ્યપ્રદેશમાં પણ સામે આવ્યો છે. રાજ્યની રાજધાની ભોપાલમાં એક યુવકમાં વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે (16 માર્ચ) તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ભોપાલના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. પ્રભાકર તિવારીએ મીડિયાને જણાવ્યું કે જે યુવકોમાં H3N2ની પુષ્ટિ થઈ છે તેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જોકે હવે તેનામાં કોઈ લક્ષણો નથી.
The first case of H3N2 infection reported in Bhopal. The patient has been kept in home isolation: Madhya Pradesh Medical Education Minister, Vishwas Sarang
શું કહ્યું આરોગ્ય અધિકારીએ ?
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, યુવકને ખાંસી અને શરદીની ફરિયાદ હતી. ત્યારબાદ તેના સ્વેબના નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કહ્યું કે, ભોપાલના બૈરાગઢ વિસ્તારના રહેવાસી દર્દીને કોઈપણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો અને હાલમાં તે ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે.
મંગળવારે હરિયાણામાં 5 દર્દીઓ નોંધાયા હતા
મહત્વનું છે કે, મંગળવારે (15 માર્ચ) હરિયાણાના યમુનાનગરમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વેરિઅન્ટના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ સંદર્ભે હરિયાણાના આરોગ્ય વિભાગે પ્રદેશમાં વાયરસ પેટાપ્રકાર H3N2 અને H1N1 દ્વારા થતા મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓને ઉચ્ચ જોખમ જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહો
ઈન્ફલ્યુએન્ઝા એક સામાન્ય રોગ છે. સામાન્ય કિસ્સાઓમાં વ્યક્તિ એક કે બે દિવસ સુધી તાવ અને ખાંસી પછી સ્વસ્થ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને બે દિવસથી વધુ સમયથી 100 ડિગ્રીથી વધુ તાવ હોય, શરદી-ખાંસી કે લાળ આવવા લાગે તો તેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. આ વાયરસ ભલે કોરોના જેટલો ખતરનાક ન હોય, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ વાયરસ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. તેની શરૂઆતમાં તાવ, ઉધરસ, શરદી, નાક અને આંખોમાં બળતરા જેવા લક્ષણો જોવા મળે છે.
સીકે બિરલા હોસ્પિટલ, ગુડગાંવના ક્રિટિકલ કેર અને પલ્મોનોલોજીના વડા ડો. કુલદીપ કુમાર ગ્રોવરે જણાવ્યું હતું કે, કોવિડ -19 અને H3N2 વાયરસ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. કોઈપણ વાયરસની રસી તે વાયરસની પ્રકૃતિ, ફેલાવાની આવર્તન વગેરેના આધારે બનાવવામાં આવે છે. કોવિડ-19 અને H3N2 વાયરસની પ્રકૃતિ અને આવર્તન અલગ છે તેથી કોવિડ રસી આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે રક્ષણ કરવામાં મદદ કરશે નહીં. જો કોઈ વાયરસ માટે ચોક્કસ રસી બનાવવામાં આવે છે, તો તે વાયરસ અનુસાર રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. મિશ્રાએ કહ્યું, આપણે દેશમાં જે વાયરસ ફેલાતા જોઈ રહ્યા છીએ તે નવા લક્ષણો સાથેનો સામાન્ય ફ્લૂ છે જેના કારણે તે લાંબા સમય સુધી ચાલુ રહે છે.
માસ્ક લગાવો, હાથ સાફ રાખો
કોવિડ -19 વાયરસથી વિપરીત તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. પરંતુ જો તમને લક્ષણો લાગે છે તો ચોક્કસપણે તેનું પરીક્ષણ કરો. આ માટે તમામ આરોગ્ય અધિકારીઓએ તેનું નિરીક્ષણ કરવું જોઈએ. રાકેશ મિશ્રા વધુમાં કહે છે, અન્ય કોઈપણ વાયરસની જેમ H3N2 વાયરસથી બચવા માટે યોગ્ય સાવચેતી રાખો, માસ્ક લગાવો, હાથ સાફ રાખો અને સ્પર્શ કરવાનું ટાળો. ચેપ ટાળવા માટે વારંવાર ચહેરો-આંખો પર વારંવાર હાથ ન ફેરવો, લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. ફેસ માસ્ક ફલૂના ફેલાવાને અટકાવી શકે છે અને હાનિકારક કણોને શરીરમાં પ્રવેશતા પણ રોકી શકે છે તેથી માસ્ક પહેરો.
H3N2 કેટલું જોખમી છે?
ડૉ. ગંગારામ હોસ્પિટલ ધીરેન ગુપ્તાના જણાવ્યા અનુસાર, H3N2 એન્ટિજેનિક ડ્રિફ્ટ અને હળવા પરિવર્તન છે. પરંતુ તે જીવલેણ નથી પરંતુ જો દર્દીને બે કે તેથી વધુ રોગો હોય તો મૃત્યુની શક્યતા વધારે છે. ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ત્રણ પેટા પ્રકારો છે. ઈન્ફલ્યુએન્ઝા A H1N1pdm09, ઈન્ફલ્યુએન્ઝા A H3N2 અને ઈન્ફ્લુએન્ઝા B વિક્ટોરિયા. આમાંથી H3N2 એ 2023 ની શરૂઆતમાં સૌથી સામાન્ય રીતે શોધાયેલ પેટા પ્રકાર છે.
કોને વધુ જોખમ છે?
ડૉ. કુલદીપ કુમાર ગ્રોવરના જણાવ્યા અનુસાર, બાળકો અને વૃદ્ધો માટે H3N2 વાયરસનું જોખમ વધારે છે કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જે લોકોને અસ્થમા, હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક શક્તિની ફરિયાદ હોય તેઓને પણ વધુ જોખમ રહેલું છે. સગર્ભા સ્ત્રીઓને પણ આ વાયરસનું જોખમ વધારે છે. કોવિડને કારણે બાળકો 2 વર્ષ સુધી ઘરે જ રહ્યા અને શાળા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહ્યા. પરંતુ હવે શાળાઓ ખુલી છે અને બજારોમાં ભીડ વધી છે, તેથી આ સામાન્ય પ્રકારને કારણે બાળકોમાં આ વાયરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે.
H3N2 વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક દ્વારા તંદુરસ્ત વ્યક્તિ સુધી પહોંચે છે. ચેપ ટાળવા માટે, સલામતીની કાળજી લેવી જરૂરી છે. આ માટે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, જો તમે જાહેરમાં બહાર હોવ તો માસ્ક પહેરો, વારંવાર તમારા હાથ સાબુથી ધોવા, એવા લોકો સાથે સંપર્ક ટાળો જેમને ફ્લૂ હોય અથવા ફ્લૂના લક્ષણો દેખાય.
H3N2 લક્ષણો
H3N2 વાયરસના ચેપના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા હોય છે. આ વાયરસની પકડમાં તાવ અથવા શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક અથવા કેટલાક કિસ્સાઓમાં માથાનો દુખાવો અને થાક છે. કેટલાક કિસ્સાઓમાં ઉલટી અથવા ઝાડા પણ થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પણ આ વાયરસનું લક્ષણ હોઈ શકે છે.