ગાંધીનગરમાં ફાયરિંગની ઘટની સામે આવી છે. બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે.
ગાંધીનગર બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ
ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
આ મામલે પોલીસે શરૂ કરી તપાસ
ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગમાં એકનું મોત
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લાં કેટલાય દિવસથી આંદોલન નગર બની ગયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા
આ અંગેની જાણ થતાની સાથે જ પોલસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈન્દ્રોડા ગામના રહેવાસી કિરણ મકવાણા (ઉં.વ 40) હોવાનું સામે આવ્યું છે. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી કરી કરતા હતા.
તેઓ આજે નોકરીએ જતા હતા આ દરમિયાન બીજ નિગમની કચેરીની બહાર તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.