મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ સળગેલી ચિંગારી જ્વાળાનું સ્વરૂપ ધારણ કરતી જાય છે. મુંબઈ ઠાણે અને નવી મુંબઈ બાદ સોમવારે પુણે અને સોલાપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. જ્યારે અનામતની માંગના સમર્થનમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. પુણેમાં ઉપદ્રવિઓએ 100થી વધારે વાહન ફુંકી કાઢ્યા છે. અહીં આંદોલનકારીઓએ મુંબઈમાં જેલ ભરો આંદોલન કરવાની ચિમકી આવી છે.
પુણેના ઔધોગિક ક્ષેત્ર ચાકણમાં પ્રદર્શનકારિઓએ રસ્તા રોકો આંદોલન કર્યુ. બાદમાં તેઓએ લગભગ બે ડઝન બસોને નિશાન બનાવીને આગ લગાવી દીધી. હિંસાના કારણે ભીમાશંકર તરફ જનારી એક બસમાં બેસેલી ગર્ભવચી મહિલા ઘાયલ થઈ ગઈ હતી. જ્યારે પોલીસ ચોકીને પણ આગના હવાલે કરી દેવાઈ હતી. પિંપરીમાં પણ ઉગ્ર પ્રદર્શન થયું.
ચાકણમાં કંપનિઓમાં કામ ન થયુ. સોલાપુરમાં સ્કૂલ કોલેજ બંધ રહ્યા. પ્રદર્શનકારિઓએ પહેલા નાયબ પોલીસ કમિશનરની ગાડી પર હમલો કર્યો અને ત્યાર બાદ પથ્થરમારો કર્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને હટાવી હતી. બંન્ને જિલ્લામાં કલમ 144 લગાવી દેવાઈ છે. પથ્થરમારામાં અને હિંસક ઝપાઝપીમાં કેટલાક પોલીસકર્મી ઘાયલ પણ થયો.