ગુજરાતમાં આગની ઘટનાઓ બનવાનો સિલસિલાની જાણે મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છાશવારે આગના બનાવ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે અમદાવાદમાં વધુ એક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં કાપડની દુકાનોમાં આગ
પંચકુવા પાસે કાપડની દુકાનોમાં આગ
કોઇ જાનહાનિ નહીં
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા માર્કેટમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ હાથ ધરી કામગીરી
જો કે, આગ અંગેના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ સાથે જ આસપાસમાં આવેલી દુકાનોમાં પણ આગ પ્રસરે નહીં તે માટે ફાયરબ્રિગેડ પ્રયત્ન હાથ ધર્યા હતા.
કોઇ જાનહાનિ નહીં
ઉલ્લેખનીય છે કે, આગ લાગતા આસપાસના વિસ્તારના લોકો પણ ભેગા થયા હતા. રાત્રિ કર્ફ્યુના કારણે દુકાનો વહેલી બંધ થઈ જતા કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહોતી પરંતુ માલ-સામન બળીને નાસ પામ્યો હતો તો નુકસાન પણ પહોંચ્યું હતું.