ભાવનગરઃ ઉમરાળા-વલ્લભીપુર રોડ પર મગફળીનો જથ્થો ભરેલી ટ્રકમાં આગ લાગતી રસ્તા પર મગફળી રઝળી પડી હતી. રામપર ગામના પાટિયા નજીક મગફળી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા કેટલોક જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
ટ્રકમાં મગફળીનો જથ્થો સરકારી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ જથ્થાને સાવરકુંડલાથી કડી તરફ લઈ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. આગ લાગતા પોલીસ અને ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહત્વનું છે કે ટ્રકમાં આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સરકારી મગફળીનો જથ્થો હોવાની આશંકા હોવાનું જણાવાય રહ્યું છે. સરકારે ખરીદેલી મગફળીનો જથ્થો હોવાની આશંકા છે. પોલીસ વધુ તપાસ હાથધરી છે.