મુંબઇ: 29 ડિસેમ્બરની હજુ મુંબઈમાં આગ લાગવાની ઘટના કોઇ ભૂલી શક્યું નથી ત્યારે ફરી એકવાર આગ લાગવાનો બનાવ સામે આવ્યો.
મળતી માહિતી અનુસાર પનવેલની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ તેઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના પગલે મોટી જાનહાનિ ટળી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આગની આ પહેલી ઘટના નથી. ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા કમલા મિલ પરિસરમાં ભયંકરક આગ લાગી હતી. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પણ મુંબઇમાં વિવિધ જગ્યાએ આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે.