નાણા મંત્રાલય દ્વારા લોન મોરેટોરિયમ સાથે જોડાયેલ વ્યાજ પર વ્યાજની છૂટ આપવાને લઇને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. કોવિડ-19 સંકટના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી લોન ચૂકાવાને લઇને સમય આપવા અંગે જાહેરાત કરી હતી. જેના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર છ મહીના માટે આપવામાં આવેલા સમય દરમિયાન વ્યાજ પર વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચેના અંતરની બરાબર રકમની ચૂકવણી સરકાર કરશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને RBI તરફથી લોન પરત કરવાને લઇને આપવામાં આવેલા સમય હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ છૂટ યોજનાને જલ્દીથી જલ્દી લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ દિશાનિર્દેશ આવ્યો છે.
શુ હશે આ લાભનો સમયગાળો?
નાણાંકીય સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશ અનુસાર લોન ચૂકવાનાર (દેવાદાર) સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ 1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ, 2020 સુધીના સમય માટે છે. જેના અનુસાર જે દેવાદારો ઉપર 29 ફેબ્રુઆરી સુધીની કુલ લોન 2 કરોડ રૂપિયાથી વધારે નથી, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે લાયક ગણાશે.
આ લોન પર મળશે લાભ
આ યોજના હેઠળ ઘર લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, વાહન લોન, MSME (સૂક્ષ્મ, લઘુ તેમજ માઇક્રો ધંધા), ટકાઉ ગ્રાહક સામાન માટે લેવામાં આવેલી લોન તેમજ વપરાશ માટે લેવામાં આવેલી લોન ધારકોને લાભ મળશે.
લોન ખાતામાં રૂપિયા પરત આવશે
દિશાનિર્દેશ અનુસાર બેંક અને નાણાંકીય સંસ્થા પાત્ર દેવાદારના લોન ખાતામાં ગ્રેસ પીરિયડ હેઠળ વ્યાજની ઉપર વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચેના ડિફ્રરન્ટની રકમ જમા થશે. આ યોજના બધા પાત્ર દેવાદારો માટે છે, જેમણે આરબીઆઇ દ્વારા 27 માર્ચ 2020ના રોજ જાહેર કરેલી યોજના હેઠળ પૂર્ણ રીતે અથવા આંશિક રીતે લોન પરત કરવાની છૂટ-છાટનો લાભ ઉઠાવ્યો છે.