ફેંગશુઇ શાસ્ત્રમાં ઘરમાં માછલી રાખવાને શુભ માનવામાં આવે છે. ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઇ અનુસાર માછલીને ઘર પર રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે જેના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં એક્વેરિયમ રાખતા હોય છે. ઘર અને દુકાન પર એક્વેરિયમ રાખવાના કેટલાક નિયમો હોય છે જેના પર ધ્યાન આપવાથી ઘણો ફાયદો થાય છે.
1- ફેંગશુઇ વાસ્તુ અનુસાર જે ઘરમાં રંગીન માછલીઓ હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા વધે છે. રંગીન માછલીઓ ઘરમાં પ્રવેશ કરનારી તમામ વ્યક્તિની તમામ નકારાત્મક એનર્જીને પોતાના ઉપર લઇ લે છે. જેના કારણે ઘરના સભ્યો ઉપર આવનારી તમામ તકલીફો દૂર થઇ જાય છે.
2 - ફેંગશુઇ અનુસાર ઘર પર રંગીન માછલી રાખવાથી તણાવ ઓછો થાય છે.
3 - ફેંગશુઇમાં એક્વેરિયમ રાખવાની શુભ અને અશુભ દિશા જણાવવામાં આવી છે. ધન લાભ માટે એક્વેરિયમને પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઇએ, ક્યારેય એક્વેરિયમને ઘરની દક્ષિણ દિશામાં રાખવું ન જોઇએ.
4- ફેંગશુઇમાં એક્વેરિયમમાં માછલીઓની સંખ્યા માટે પણ જણાવવામાં આવ્યું છે. હંમેશા તેમાં 9 રંગીન માછલીઓ હોવી જોઇએ. જેમાથી એક કાળા રંગની પણ હોવી જોઇએ, કાળા રંગની માછલીને શુભ માનવામાં આવે છે.