રાજકોટ જિલ્લાનાં ખેડૂત સતત ચાર-ચાર દિવસથી ઉપવાસ પર હતાં. ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં આ ખેડૂતોની વાત આખરે સરકારે માની લીધી છે. લેખિતમાં ખાતરી આપ્યાં બાદ આજે ખેડૂતોએ પારણા કરી લીધાં છે. રાજકોટમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાક વીમા મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. છેલ્લાં 4 દિવસથી કિસાન સંઘનાં સભ્યો વિરોધ કરી રહ્યાં હતાં.
ખેડૂતને હંમેશા પોતાનાં હક માટે સરકાર સામે લડવું જ પડે છે. શાં માટે ખેડૂતને હક માટે વારંવાર લડવું પડે છે? શું તેની ખબર સરકારની નથી. રાજકોટમાં છેલ્લાં ચાર દિવસથી પાક વીમા માટે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. તેમની માગણી માત્ર તેમનો હક પાક વીમો જ હતો. તેમ છતાં બહેરાકાન રાખી કશું સાંભળતું ન હતું. દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનશે તેવું લાગતા આખરે સરકારને ઝૂકવાનો વારો આવ્યો હતો. ત્યારે શું છે આ આખી ઘટના તે જોઈએ આ રિપોર્ટમાં.
રાજકોટ જિલ્લાનાં ખેડૂત સતત ચાર-ચાર દિવસથી ઉપવાસ પર હતાં. ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં આ ખેડૂતોની વાત આખરે સરકારે માની લીધી છે. લેખિતમાં ખાતરી આપ્યાં બાદ આજે ખેડૂતોએ પારણા કરી લીધાં છે. રાજકોટમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાક વીમા મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. છેલ્લાં 4 દિવસથી કિસાન સંઘનાં સભ્યો વિરોધ કરી રહ્યાં હતાં.
કેટલાંય સમયથી ખેડૂતોની કેટલીક માગણીઓ હતી. જેમાં ખેડૂતો પાકવીમાને લઇને પરેશાન હતા. ખેડૂતોનાં પડતર પ્રશ્નોનો નિકાલ આવતો ન હતો. પાકવીમાની ચૂકવણીની વિસંગતતા દૂર કરવાની માગણી હતી. ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે તેવી પણ માગણી હતી. તો ચેકડેમ અને તળાવ ઉંડા કરાય તેવી માગણી હતી. ખેડૂતોએ પોતાની માગણી પૂરી થાય તે માટે આંદોલનને પણ અલગ રૂપ આપ્યું હતું.
પ્રથમ દિવસે કિસાન સંઘનાં સભ્યોએ રેલી કાઢીને વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. ત્યાર બાદથી તેઓ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. બીજા દિવસે ખેડૂતોએ ખીચડી બનાવીને વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ત્રીજા દિવસે ખેડૂતોએ ઢોલ નગાડા અને જાલર વગાડીને વિરોધ કર્યો હતો. રવિવારે ચોથા દિવસે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સરકાર માટે હવન કર્યો હતો. સરકારી અધિકારીઓને સદબુદ્ધિ આવે તે માટે ખેડૂતોએ હવન કર્યા.
મહત્વનું છે કે, ખેડૂતોનાં આંદોલન દિવસે ને દિવસે વેગ પકડતું હોય તેમ લાગતા સરકાર મુંઝાઈ ગઈ. ત્યારે સરકારે ખેતીવાડી અધિકારીઓએ આંદોલન સ્થળની મુલાકાતે દોડાવ્યાં હતાં. પરંતુ ખેડૂતોએ લેખિતની માગણી પૂર્ણ કરશું તેવી ખાતરી માગતા અધિકારીઓ પરત ફર્યા હતાં. ખેડૂત અધિકારીઓ પરત ફર્યા પછી ખેડૂતો હાથમાંથી સરી ન જાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાની ખુદ મેદાનમાં ઉતર્યા અને લેખિતમાં ખાતરી આપી ખેડૂતોને મનાવી લીધાં. આમ, ખેડૂતોને સરકાર દ્વારા લેખિતમાં ખાતરી અપાયા બાદ આંદોલન સમેટાયું તો ખરું પણ હવે માગણીઓ હકીકતમાં સાકાર ક્યારે થાય છે તે જોવાનું રહેશે.