કેન્દ્ર દ્વારા લાગ કરાયેલા 3 કૃષિ કાયદાને પરત લેવાના મુદ્દે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હવે સરકારને ધમકી આપી છે. તેઓએ કહ્યું છે કે જો 4 જાન્યુઆરીએ વાત નહીં બને અને કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શનને વધારે ઉગ્ર બનાવશે. આ સાથે જ તેઓએ કહ્યું છે કે તેઓ હરિયાણામાં પેટ્રોલ પંપ અને મોલ્સ બંધ કરાવી દેશે.
3 કૃષિ કાયદાને પરત લેવાના મુદ્દે પ્રદર્શન
ખેડૂતોએ હવે સરકારને ધમકી આપી
4 જાન્યુઆરી બાદ કરશે પેટ્રોલ પંપ અને મોલ્સ બંધ
ખેડૂતોની માંગ છે કે સરકાર 3 નવા કૃષિ કાયદાને પરત લે. સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્યની પણ કાયદાકીય ગેરેંટી આપે. દિલ્હીની સીમા પર ખેડૂતો એક મહિનાથી પણ વધારે સમયથી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે.
અત્યાર સુધી સરકાર અને ખેડૂતોની 6 મીટિંગ થઈ, હવેની મીટિંગ 4 જાન્યુઆરીએ
અત્યાર સુધી સરકાર અને ખેડૂતોની વચ્ચે 6 વખત વાતચીત થઈ છે પણ કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. બુધવારે ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે વીજળીની કિંમતો અને પરાલી બાળવાના મુદ્દે દંડની લઈને વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે બંને પક્ષોમાં આમાંથી કેટલીક વાત પર સહમતિ બની છે. પણ 3 કૃષિ કાયદા અને MSPને કાયદાકીય દરજ્જો આપવાની વાત થઈ નથી. હવે 4 જાન્યુઆરીએ ફરીથી ખેડૂત સંગઠન અને સરકારની મીટિંગ થવાની છે.
ખેડૂતોની સરકારને ચેતવણી
સિંધુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું કે સરકારની સાથે અનેક બેઠકમાં રજૂ કરાયેલા મુદ્દામાંથી 5 ટકા પર ચર્ચા કરાઈ છે. તેઓએ માંગને પૂરી ન થવા પર સરકારને ચેતવણી આપી છે. ગણતંત્ર દિવસના સમારોહના થોડા દિવસો પહેલા કરાયેલી આ જાહેરાતમાં મુખ્ય માંગને પૂરી નહી કરકવા માટે ખેડૂત સંગઠનોએ એક મહિનામાં અનેક વિરોધ પ્રદર્શન કર્યા છે. ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે જો કેન્દ્ર સરકાર એમ વિચારે છે કે ખેડૂતોનો વિરોધ શાહીન બાગની જેમ થશે તો તે ખોટું છે. તેઓએ કહ્યું કે સરકાર અમને આ જગ્યાએથી હટાવી શકશે નહીં, જેવું તેઓએ શાહીનબાગમાં કર્યું હતું.
MSP પર વાત નથી કરી રહી સરકાર
સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે 3 કૃષિ કાયદાને રદ્દ કરવા અને MSPને કાયદાકીય ગેરેંટ જેવા મુખ્ય 2 મુદ્દા પર સરકાર તમખલા ભાર પણ વાત કરી રહી નછી. તેઓએ આ મુદ્દે સૈદ્ધાંતિક રૂપે પ્રતિબધ્ધતા દેખાડવાની ના પાડી છે. એક અન્ય કિસાન નેતા વિકાસે કહ્યું કે જો સરકારની સાથે 4 જાન્યુઆરીની મીટિંગમાં વાત નહીં બને તો અમે હરિયાણામાં દરેક મોલ, પેટ્રોલ પંપને બંધ કરવાની તારીખોની જાહેરાત કરીશું.
કૃષિ મંત્રીને સકારાત્મક વાતચીતની છે આશા
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારને ખેડૂત સંગઠનો સાથે 4 જાન્યુઆરીએ થનારી બેઠકમાં સકારાત્મક પરિણામ મળવાની આશા છે. તોમરે કહ્યું કે મને આશા છે કે 4 જાન્યુઆરીએ ખેૂત સંગઠનોની સાથે થનારી બેઠકનું પરિણામ ખેતી- ખેડૂતોના હિતમાં રહેશે. કૃષિ મંત્રીએ કહ્યું કે તેઓ કોઈ ભવિષ્ય વક્તા નથી જે આ ભવિષ્યવાણી કરી શકે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે 4 જાન્યુઆરીની બેઠક છેલ્લી બેઠક હશે.