વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે 5માં સ્તરની બેઠક પુરી થઈ ચૂકી છે. શનિવારે થયેલી બેઠક દરમિયાન અચાનક ખેડૂત નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ તખ્તી લઈને બેસી ગયા છે. તેમનું કહેવું છે કે હવે જવબા હા કે ના માં જોઈએ. જ્યારે બેઠકના રુમમાંથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ બહાર નિકળી ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આવતી 9 ડિસેમ્બરે હિતેસ્છુઓના અનુરોધ કરવા પર ખેડૂતો અને કેન્દ્ર સરકારોની વચ્ચે બેઠક થશે.
આ કાયદાથી સરકારને ફાયદો થશે ખેડૂતને નહીં.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે
ખેડૂતોનું કહેવું છે કે હવે જવબા હા કે ના માં જોઈએ.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે
બેઠક ખતમ થયા બાદ વિજ્ઞાન ભવનથી બહાર આવેલા નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું કે તે 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે અંદરોઅંદર આના પર ચર્ચા કરીશું. એ બાદ તે જ દિવસે બેઠક થશે. હકિકતમાં સરકાર સાથેની વાતચીત દરમિયાન ખેડૂતો ભડક્યા હતા. તેમણે કહી દીધું હતુ કે સરકાર માંગો પુરી કરે નહીં તો મીટિંગ છોડીને જતા રહીશું. બીજી તરફ કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે તમે સિનિયર સિટીઝન અન બાળકોને ઘરે જવા માટે કહો.
આ કાયદાથી સરકારને ફાયદો થશે ખેડૂતને નહીં.
બેઠક બાદ ભારતીય ખેડૂત યુનિયન રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર એક મુસદ્દો તૈયાર કરશે અને અમને આપશે. તેમણે કહ્યું કે તે રાજ્યોની સલાહ લેશે. એમએસપી પર પણ ચર્ચા થઈ પરંતુ અમે કહ્યું કે અમે કહ્યું કે અમારે કાયદાને પણ અપનાવવો જોઈએ અને તેની ભૂમિકા અંગે વાત કરવી જોઈએ.ભારત બંધ જાહેરાત થઈ તે પ્રમાણે થશે. સરકાર સાથે વાતચીત દરમિયાન ખેડૂત નેતાઓએ કહ્યું કે અમારી પાસે એક વર્ષની સામગ્રી છે. ગત અનેક દિવસોથી રસ્તા પર છીએ. સરકાર ઈચ્છે છે કે અમે રસ્તા પર રહીએ. તેમણે કહ્યુ કે અમે કોર્પોરેટ ફાર્મિંગ નથી ઈચ્છતા. આ કાયદાથી સરકારને ફાયદો થશે ખેડૂતને નહીં.
ખેડૂતોના સમર્થનમાં દિલજીત દોસાંઝ પહોંચ્યા
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત સિંહ દોસાંઝ શનિવારે સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોની મુલાકાત બાજ દિલજીત દોસાંઝએ તેમને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે અમારી કેન્દ્રને એક જ અરજી છે કે મહેરબાની કરીને ખેડૂતોની માંગણીને પુરી કરે. અહીં તમામ લોકો શાંતિથી બેઠા છે અને સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું કે તમને બધાને સલામ, ખેડૂતોએ એક નવો ઈતિહાસ રર્યો છે. આ ઈતિહાસ આવનારી પેઢીને સંભળાવવામાં આવશે. ખેડૂતોના મુદ્દાને કોઈ દ્વારા ફેરવવો ન જોઈએ.