કૃષિ કાયદાના વિરોધમાં દોઢ મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ફરીથી કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર વાતચીત માટે તૈયાર છે પણ કાયદા રદ કરવા સિવાયની કોઇ માંગ હોય તો જણાવો
ખેડૂત આંદોલનનો 53મો દિવસ
અમને કોઇ વિકલ્પ આપો : કૃષિ મંત્રી
કાયદા રદ કરવા જ પડશે : કૃષિ સંગઠનો
26 તારીખે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરવાનું એલાન
કૃષિ કાયદા મુદ્દે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે તકરાર વધી રહી છે ત્યારે રવિવારે આંદોલનને 53 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં કોઇ જ સમાધાન આવી શક્યું નથી. આ તરફ કૃષિ મંત્રીએ ફરી કહ્યું કે ખેડૂતો કાયદાને રદ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બતાવે. જોકે સામે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે સરકારે કૃષિ કાયદાને પાછા લેવા જ પડશે ત્યારે જ ખેડૂતો ઘરે જશે. બીજી તરફ 26 તારીખે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરવાનું એલાન કરી દીધું છે જેના કારણે સરકારના ટેન્શનમાં વધારો થઈ રહ્યો છે.
દૂર-દૂરથી ટ્રેક્ટરો લઈને પહોંચી રહ્યા છે ખેડૂતો
Punjab: Farmers leave from Ludhiana for Delhi to participate in a tractor march.
"We will organise a tractor rally in the national capital on January 26. There will be around 1 lakh tractors in the rally," says a farmer pic.twitter.com/55Q6poyQen
કૃષિ મંત્રીએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનોને એક પ્રસ્તાવ આપ્યો હતો અને અમે બધા જ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે પણ ખેડૂતો માત્રને માત્ર કાયદાને રદ કરવા માંગે છે.જોકે મોટા ભાગના ખેડૂતો અને નિષ્ણાતો આ કાયદાના પક્ષમાં છે. મંત્રીએ કહ્યું કે જ્યારે કાયદા પર સુપ્રીમ કોર્ટે જ રોક લગાવી દીધી છે તો ધરણાં કઈ વાતના થઈ રહ્યા છે? બીજી કોઇ માંગ હોય તો જણાવો અમે પૂરી કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે સરકાર પહેલેથી જ પોતાના એક જ સ્ટેન્ડ પર છે કે તે ચર્ચા કરવા માટે તૈયાર છે અને કાયદામાં પણ સુધારા વધારા કરવા માટે તૈયાર છે. નરેન્દ્ર તોમરે ફરી કહ્યું કે કાયદાને રદ કરવા સિવાય કોઇ બીજી માંગ હોય તો બતાવો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે.
લાગે છે કે આંદોલન લાંબુ ચાલવાનું છે : ખેડૂત સંગઠન
જોકે ખેડૂતો હજુ પણ પોતાની માંગ પર અડગ છે ત્યારે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ કાયદાઓને રદ નહીં કરે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. લાખો ખેડૂતો દિવસ રાતે બોર્ડર પર અડગ છે પણ સરકાર કેમ કાયદા રદ નથી કરી રહી? તેમણે એમ પણ કહ્યું કે લાગે છે કે આંદોલન લાંબુ ચાલવાનું છે. તેમણે એમ પણ એલાન કરી દીધું છે કે ખેડૂતો કોઇ કમિટી આગળ જવાના નથી. નોંધનીય છે કે હાલમાં આ કાયદા પર સર્વોચ્ચ અદાલત દ્વારા રોક લગાવવામાં આવી છે અને એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.