દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની સાથે આજે ખેડૂત અગ્રણીઓએ મુલાકાત કરી હતી જેના પછી ખેડૂતોએ દિલ્હી નોઇડા બોર્ડર પર તેમના પ્રદર્શનમાં થોડી મોકળાશ આપી હતી અને તેઓ દિલ્હી નોઇડાની છેલ્લા 12 દિવસથી બંધ ચિલ્લા બોર્ડરને ખોલવા માટે પણ સંમત થયા હતા, અને આખરે 12 દિવસ બાદ આજે તે બોર્ડર ખૂલવા પામી હતી.
વિવિધ ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા થઇ રહી છે ઘેરાબંદી
હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસે મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કર્યા
દેશમાં આજે પણ દિલ્હીમાં કુરી કાયદાઓનો વિરોધ ચાલુ જ રહ્યો હતો અને ખેડૂત અગ્રણીઓ દ્વારા આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે વાતચીત કરવામાં આવી હતી, આઅ બધાની વચ્ચે જો કે એક ખેડૂત સંગઠને RKMS રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠને સરકાર સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી.
19 ડિસેમ્બર સુધી નહીં કરવામાં આવે તો અમે ઉપવાસ શરૂ કરીશું : ખેડૂતોની ચેતવણી
ખેડૂત નેતા ગુરનમસિંહ ચરુનીએ કહ્યું કે, પંજાબથી આવતા ખેડૂતોનાં જૂથોને અમે રોકી રહ્યાં છીએ. અમે સરકારને અપીલ કરીએ છીએ કે ખેડુતોને દિલ્હી પહોંચવાની મંજૂરી આપો. જો સરકાર 19 ડિસેમ્બર પહેલા અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો અમે તે જ દિવસે ગુરુ તેગ બહાદુરના શહાદત દિવસથી ઉપવાસ શરૂ કરીશું.
રાજનાથ સિંહે ખેડૂતો સાથે કરી મુલાકાત
દિલ્હીમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ખેડૂતો સંગઠન (ભાનુ)ના નેતાઓને મળીને તેમની સાથે બેઠક કરી હતી. જો કે ખેડૂતો સરકારને મચક આપી રહ્યા નથી અને ફક્ત કાયદાઓ રદ કરવા માટે મક્કમ છે. બીજી તરફ 14 ડિસેમ્બરથી પ્રદર્શનના ભાગરૂપે ખેડૂતો ભૂખહડતાળ શરુ કરવા જઈ રહ્યા છે જેથી સરકાર વધુ દબાણ મુકાશે.
Delhi: Defence Minister Rajnath Singh met leaders of Bharatiya Kisan Union (Bhanu) today. pic.twitter.com/R7Wha3dlle
સરકાર ત્રણ કાયદાઓ પાછા લે, માત્ર સુધારા મંજૂર નથી
ખેડૂત અગ્રણી કમલપ્રીત પન્નૂએ કહ્યું કે સરકાર ત્રણ કાયદાઓ પાછા લે અને મને માત્ર સુધારા મંજૂર નથી. અમે સરકાર સાથે વાતચીત કરવાથી પણ ઇનકાર કરીએ છે. ખેડૂત અગ્રણીએ કહ્યું કે અમે હવે અંદોલનને મોટું કરીશું, અમારા ગામથી લોકો આવી રહ્યા છે. કાલે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરશે અને દિલ્હી-જયપુર બંધ કરી દેવામાં આવશે.
મહેશ શર્માની હોસ્પિટલનો ઘેરાવ
ભારતીય કિસાન યુનિયન લોક શક્તિથી જોડાયેલા લોકોએ નોએડામાં સાંસદ ડૉ. મહેશ શર્માના કૈલાશ હોસ્પિટલની ઘેરાબંદી કરી હતી. અહિયાં કેટલાક ખેડૂતો મુંડન કરાવીને પહોંચ્યા હતા. ખેડૂતોના આંદોલનને જોતા મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ સાંસદને રજૂઆત પણ કરી છે. નોએડામાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ દલિત પ્રેરણા સ્થળ પાર્કમાં કેટલાક ખેડૂતોએ મુંડન કરાવ્યું હતું.
સાંસદ મહેશ શર્માએ કહ્યું છે કે મેં ખેડૂત ભાઈઓને વિશ્વાસ અપાવ્યો છે કે પીએમ મોદીનો કોઈ નિર્ણય ખેડૂતના વિરોધમાં હોઈ જ ન શકે. ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સરકાર અને મંત્રી તૈયાર છે અને મોદીજીએ આજ સુદ્ધિ જેટલા નિર્ણય કર્યા છે તે બધા ગરીબોના હિતમાં અને ખેડૂતોના હિતમાં કર્યા છે.
ટોલપ્લાઝા પર ટકરાવ
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પોતાના આંદોલનને તેજ કરવા માટે ખેડૂતોએ શનિવારે હરિયાણામાં કેટલાક ટોલ પ્લાઝા પર કબજો કરી લીધો છે અને અધિકારીઓને પણ ટોલ વસૂલવા ન દીધા. આંદોલનકારીઓએ કહ્યું કે સરકાર પર દબાણ બનાવવા માટે હવે મોટી સંખ્યામાં લોકો ટોલ પ્લાઝા પર એકત્રિત છે.
MSPનો કાયદો બનાવવા માંગ
ઉત્તર પ્રદેશના ખેડૂત અગ્રણીએ કહ્યું કે અમને બટાકા, શેરડી, અનાજ, શાકભાજી, દૂધ સહીતની વસ્તુઓ પર MSP માંગી રહ્યા છે. અને અમને લેખિતમાં ગેરંટી નહીં પણ MSPનો કાયદો જ જોઈએ છે.
સરકાર ફરી કરી શકે છે સંવાદ
મીડિયા અહેવાલો દ્વારા સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર કેટલાક ખેડૂત અગ્રણીઓના સંપર્કમાં છે અને 15મી ડિસેમ્બરે આગામી સ્તરની વાતચીત થઇ શકે છે જ્યારે ખેડૂતોએ પણ સંકેત આપ્યો છે કે સરકાર તરફથી આમંત્રણ મળે તેની રાહ જોવાઈ રહી છે.
બીજા ખેડૂતો પણ સિંઘુ બોર્ડર તરફ રવાના
નોંધનીય છે કે સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે વધારાના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણાનાં કુરુક્ષેત્રથી ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને ટ્રક દેખાઈ રહ્યા છે અને આ બધા ખેડૂતો હવે સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે.
Haryana: Farmers head to Delhi, to join the agitation at the borders of the national capital against Central Government's #FarmLaws.
રાષ્ટ્રવિરોધી લોકો આંદોલનમાં હોવાની વાત પર ખેડૂત અગ્રણીએ આપ્યો જવાબ
નોંધનીય છે કે આરોપ લાગી રહ્યા છે કે ખેડૂત આંદોલનમાં હવે રાષ્ટ્ર વિરોધી તત્વ આવી ગયા છે જેનાં પર ભારતીય કિસાન યુનિયનનાં અગ્રણી રાકેશ ટીકેતે કહ્યું કે કેન્દ્રની સંસ્થાઓએ આવા લોકોને પકડવા જોઈએ. જો કોઈ પ્રતિબંધિત સંસ્થાના લોકો અમારી વચ્ચે ફરી રહ્યા છે તો તેમને જેલમાં નાખી દેવા જોઈએ. અમને તો અત્યાર સુધી આવું કોઈ વ્યક્તિ મળ્યું નથી અને જો મળશે તો અમે તેને હટાવી દઈશું.
ટોલ પ્લાઝા ફ્રી કરી દેવાયા
ખેડૂતોએ હરિયાણા શુક્રવારે રાત્રે જે બસ્તારા ટોલ પ્લાઝાને બંધ કરાવી દીધા હતા અને અંબાલામાં શમ્ભૂ ટોલ પ્લાઝાને બંધ કરાવી દેવામાં આવ્યો છે જે બાદ તેને ફરી કરી દેવામાં આવ્યો.
#WATCH Haryana: Vehicles move through Shambhu Toll Plaza in Ambala after farmers closed the toll today, making it toll-free, as a part of their protest against #FarmLaws. pic.twitter.com/rdCM8BnQWO
ઉગ્ર આંદોલનને જોતા યુપી સરકાર પણ અલર્ટ પર છે અને 130 ટોલપ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ અને PACને ખડકી દેવામાં આવ્યા છે. બીજી હરિયાણામાં પણ પાંચ જેટલા ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. રમખાણ વિરોધી ઉપકરણો સાથે સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.