કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આંદોલનને ધાર આપવા માટે ખેડૂતોએ હવે ગ્લોબલ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂતોનું આજે લાઈવ ગ્લોબલ વેબીનાર
દુનિયાભરથી જોડાશે લોકો
એક અઠવાડિયા સુધી જુદા જુદા દિવસ પણ મનાવાશે
દુનિયાભરથી જોડાશે લોકો
કૃષિ કાયદા સામે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોએ આંદોલનને લાંબુ ચલાવવા તથા આંદોલનમાં વધુ લોકોનું સમર્થન મેળવવા માટે અલગ રણનીતિ અપનાવી છે. આજે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગયા સુધી ખેડૂતો લાઈવ વેબીનાર કરશે. આ વેબીનારમાં ત્રણ કૃષિ કાયદાથી ખેડૂતો પર શું અસર થશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વેબીનારથી દુનિયાભરથી ખેતી સાથે જોડાયેલા લોકો ભાગ લેવાના છે.
સોશ્યલ મીડિયામાં જાહેરાત
Making voices reach the masses, a ‘Global LIVE Webinar’ is being organized on 26th Feb; 9:00 AM-2:00 PM wherein various farm leaders worldwide will participate to bring out to actual impact of 3 Farm Bills Passed on farmers. To participate, click at: https://t.co/gV7UfloHpEpic.twitter.com/9bzYS44EZY
નોંધનીય છે કે આજના આ વેબીનારમાં ખેડૂતો નેતાઑ ઓનલાઈન જ ઘણા બધા સવાલોના જવાબ પણ આપશે. કિસાન એકતા મોરચાએ સોશ્યલ મીડિયા દ્વારા બધી જ માહિતી આપી છે જેમાં દુનિયાભરમાં વિવિધ શહેરોના સમય પણ શેર કરવામાં આવ્યા છે. આ વેબીનારમાં સામાન્ય લોકો સવાલ પણ પૂછી શકે છે તથા રજીસ્ટ્રેશન માટે લિન્ક બહાર પાડવામાં આવી છે.
આજે મનાવાશે યુવા કિસાન દિવસ
બીજી તરફ આજે દિલ્હીની સરહદો પર ખેડૂતોએ યુવા કિસાન દિવસ માનવવાનો પણ નિર્ણય લીધો છે જેમાં બોર્ડર પર જે આંદોલન ચાલી રહ્યા છે તેમાં યુવાનો મંચ સંભાળશે. ખેડૂતો સાત દિવસ સુધી અલગ અલગ દિવસ મનાવવા જઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું વાતચીત માટે તૈયાર
નોંધનીય છે કે બીજી તરફ દેશના કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે અત્યારે કૃષિ કાયદા લાગુ નથી કરી શકતા કારણ કે મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી કમિટીએ પણ પોતાનો ફિડબેક આપ્યો નથી અને અમે તો હજુ પણ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
કેમ નથી રોકાઈ રહ્યું આંદોલન
ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી આંદોલન કરી રહ્યા છે અને હાલમાં આંદોલનને લઈને કોઈ જ વાતચીતની પહેલ થતી જોવા મળી રહી નથી. આ પહેલા ખેડૂતો નેતાઑ અને સરકાર તરફથી વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે કે વાતચીતના દરવાજા ખુલ્લા જ છે પરંતુ બંને પક્ષ વચ્ચે હાલ વાતચીત બંધ છે ત્યારે ખેડૂતો આ આંદોલનમાં કોઈ જ કસર છોડવા માંગતા નથી. ખેડૂતોના નેતાઑ હવે દેશના જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યા છે અને મહાપંચાયત કરવામાં આવી રહી છે. આ સિવાય પણ જે જુદા જુદા રસ્તા છે તેના આધારે આંદોલન કરવામાં આવી રહ્યું છે.