હજારોની સંખ્યામાં ખેડૂતો પોલીસે મુકેલા બેરિકેડ્સને નદીમાં ફેંકી દઈને પંજાબ હરિયાણાની બોર્ડરથી દિલ્હી તરફ આગળ વધ્યા હતા.
તેમને હરિયાણામાં પ્રવેશવા માટે પોલીસે અટકાવવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અથડામણ લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ સામે ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને નુકશાન પહોચાડ્યું હતું.
#WATCH Haryana: Police use water cannon & tear-gas shells in Karnal to disperse farmers from Punjab heading towards Delhi.
Security increased further at Delhi-Karnal Highway as farmers intensify their protest by trying to break through barricades & move towards Delhi. pic.twitter.com/5xyCelzRWc
ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં રાજધાની તરફ કૂચ કરી રહ્યા છે
નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત પંજાબથી નીકળેલા ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં 'દિલ્હી ચલો' રેલી અંતર્ગત રાજધાની તરફ કૂચ કરી રહ્યા છે. આ તરફ હરિયાણા જે ભાજપ શાસિત પ્રદેશ છે ત્યાં તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે આખરે ખેડૂતોએ સફળતાપૂર્વક બ્રિજ પાર કરીને પોતાની રેલી આગળ વધારી હતી.
Haryana: Police use water cannon to disperse farmers who have gathered in Karnal and are proceeding towards Delhi to protest against farm laws. pic.twitter.com/kYbxVCzhpH
આ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આ આંદોલન સમેટી લેવા અપીલ કરી હતી. તેમણે ખેડૂતોને સરકાર સાથે ચર્ચા કરવા માટે 3 ડિસેમ્બરે આમંત્રણ આપ્યું હતું.
શું છે ખેડૂતોની યોજના?
6 રાજ્યના ખેડૂતો (ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, કેરળ અને પંજાબ) આજથી બે મહિના પછી એટલે કે પ્રજાસત્તાક દિવસે સરકારે હાલમાં લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરવાની યોજના ધરાવે છે.
ખેડૂતો આ આંદોલનમાં લાંબા સમય સુધી ચાલે તેટલા રેશન, શાકભાજી, લાકડા અને ધાબળાની વ્યવસ્થા કરી છે જેથી આંદોલન લાંબુ ચાલે તો પણ કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે.