દિલ્હીમાં છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે અનેક વખત બેઠક પણ થઇ છે. સરકારે મનાવવાના પ્રયાસ પણ કર્યા પરંતુ ખેડૂતો કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ પર અડગ છે.
સરકારે કાયદામાં સંશોધન કરવાની લેખિતમાં બાહેંધરી આપવાની પણ વાત કરી છે. પરંતુ ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા જે કૃષિ કાયદા લાગુ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે. જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન નહીં સમેટે અને ઘરે પણ નહીં જાય. ત્યારે Analysis With Isudan Gadhviમાં જાણો ખેડૂતો અડગ છે એટલે તેનો અર્થ શું થાય છે.