તુવેરકાંડમા કેટલા તોડબાજ? આવો સવાલ હવે ઉપસ્થિત થવો વ્યાજબી છે કારણ કે કેશોદ અને વિસાવદર બાદ તળાજામાં પણ તુવેરકાંડની આશંકા સેવાઈ રહી છે. આ શંકા પેદા થવાનું કારણ પણ બહુ સબળ છે કારણ કે 14 એપ્રિલે તુવેરની ખરીદી કરવામા આવે છે અને આટલા દિવસ પછી અચાનક જ સેમ્પલ સીલ કરી દેવામાં આવે છે. તો આખરે પડદા પાછળ શું રંધાઈ ગયું તે મોટો સવાલ છે?
ભાવનગરના તળાજામાં તુવેર ખરીદીમાં ગેરરીતિ મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે રોષે ભરાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ હતું. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસની માગ કરી હતી. જો આ મામલે તપાસ નહીં થાય તો ખેડૂતોએ જનતા રોડ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોએ 101 ગોડાઉન પર જનતા રેડ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહત્વનુ છે કે, ખેડૂતો પાસેથી ખરીદેલી તુવેરમાં સડેલી તુવેરની ભેળસેળ કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ તપાસ કરતા સમગ્ર ગેરરીતિ સામે આવી હતી. ગેરરીતિ સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
તળાજામાં માર્કેટયાર્ડમાં શંકા ઉપજાવે તેવી કાર્યવાહી કરવામાં આવી છે. તુવેરની ખરીદીના 21 દિવસ બાદ સેમ્પલ સીલ કરવામાં આવતાં તુવેરકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તળાજા માર્કેટયાર્ડમાં હાલમાં 19 હજાર તુવેરના થેલા પડેલાં છે. 14 એપ્રિલના રોજ તુવેરની ખરીદી કરવામાં આવી હતી. 6 માપદંડો ધરાવતી તુવેરની જ ખરીદી થતી હોય છે. પરંતુ એવો આરોપ થઈ રહ્યો છે કે તુવેરની ખરીદીમાં આ માપદંડો જળવાયા નથી. તો તળાજા માર્કેટયાર્ડના મેનેજરે કૌભાંડની વાત ફગાવી દેતાં કહ્યું કે આ રાજકીય રોટલા શેકવાની વાત છે.
આમ, કેશોદ, વિસાવદર પછી તળાજામાં તુવેરકાંડની આશંકાએ ગુજરાતનુ રાજકારણ પણ ગરમાઈ ગયું છે. મગફળી કાંડ પછી હવે તુવેરકાંડમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે.