લાલ કિલ્લામાં મચેલી હિંસાને લઈને નિશાના પર આવેલા પંજાબી દીપ સિદ્ધુ તરફથી વધુ એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. દીપે કહ્યું છે કે તેમની વિરુદ્ધ જે લુક આઉટ નોટિસ જારી થઈ છે તેની તપાસમાં તે ચોક્કસથી સામેલ થશે.
1- 2 દિવસનો સમય આપો જેથી સત્ય લાવી શકુ
દીપે ત્યાં રહેલા લોકોને ઝંડો લહેરાવવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ
દીપે કહ્યું કે દિલ્હી પોલીસ- સરકારની ટ્રેપ હતી કે ...
1- 2 દિવસનો સમય આપો જેથી સત્ય લાવી શકુ
દીપ સિદ્ધુએ પોતાના એક વીડિયોમાં કહ્યું છે કે મે કંઈ ખોટું નથી કર્યુ. કંઈ પણ છુપાવવા જેવું નથી. જો કે દીપે કહ્યું છે કે તેને એક- બે દિવસનો સમય જોઈએ છે. જેથી તે સત્ય લાવી શકે. ફેસબુક પર જારી વીડિયોમાં દીપે કહ્યું કે મારા વિશે સતત જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે. તેવામાં સત્ય સામે લાવવું જરુરી છે. જે મારા ઉપર કેસ લગાવવામાં આવ્યા છે હું તેને લઈને પુરાવા રજૂ કરીશ.
દીપે ત્યાં રહેલા લોકોને ઝંડો લહેરાવવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે દીપ લાંબા સમયથી ખેડૂત આંદોલન સાથે જોડાયેલો રહ્યો છે. ગણતંત્ર દિવસે નિકળેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લામાં હિંસા થઈ અને તિંરંગાની જગ્યાએ ધાર્મિક ઝંડો ફરકાવાયો. આરોપ છે કે દીપે ત્યાં રહેલા લોકોને ઝંડો લહેરાવવા માટે ઉશ્કેર્યા હતા. તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
PROFANITY ALERT: Watch farmers confronting BJP stooge Deep Sidhu. He was the one who created violence at Red Fort & tried to laid seige. He panics and runs away as farmers question his motive.
Why he hasn't been arrested? Why he was allowed to escape after he created violence? pic.twitter.com/HfDPKmdQtu
દીપે કહ્યું કે દિલ્હી પોલીસ- સરકારની ટ્રેપ હતી કે ...
આ બાદ દિલ્હી પોલીસ તરફથી દીપ સિદ્ધુ અને લક્ખા સિધાનાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દીપ સિદ્ધુની શોધ ચાલું છે અને લુટ આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. દીપ દ્વારા વારંવાર ખેડૂત આંદોલનમાં જોડાયેલા સંગઠનો પર નિશાનો સાધાવામાં આવ્યો છે. દીપે એક વીડિયોમાં કહ્યું હતું કે જો ખેડૂત નેતાઓનું સત્ય સામે આવશે તો ઘણો વિવાદ થશે. દીપે કહ્યું કે દિલ્હી પોલીસ- સરકારની ટ્રેપ હતી કે અમને જલ્દી દિલ્હીમાં ઘૂસવા દેવામાં આવ્યા. જે લોક ટ્રેક્ટર રેલીમાં સામેલ હતા તે પોતે જ આઈટીઓ અને લાલ કિલ્લા તરફ નીકળવા લાગ્યા હતા.