PM નરેન્દ્ર મોદીએ આજે દેશના નામ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યુ છે.
પીએમએ ભાષણમાં ખેડૂતો માટે કરેલા પોતાના કામ ગણાવ્યા
17 મિનિટના ભાષણમાં કુલ 37 વાર ખેડૂતોનું નામ લીધુ
ક્ષમા, મન, તપસ્યા... ખેડૂતો માટે પીએમના શબ્દો
પીએમએ ભાષણમાં ખેડૂતો માટે કરેલા પોતાના કામ ગણાવ્યા
પીએમ મોદીએ આજે પોતાના 17 મિનિટના ભાષણમાં કુલ 37 વાર ખેડૂતોનું નામ લીધુ. તેમણે પોતાના ભાષણમાં ખેડૂતો માટે કરેલા પોતાના કામ ગણાવ્યા અને કહ્યું કે દેશમાં ખેડૂતો માટે સંપૂર્ણ તાકાતથી કરતા રહેશે.
17 મિનિટના ભાષણમાં કુલ 37 વાર ખેડૂતોનું નામ લીધુ
આજે સવારે અચાનક જેવી પીએમઓએ પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની જાણકારી ટ્વીટ કરી તો અટકળોએ બજારને ગરમ કરી દીધું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નાના ખેડૂતોની સમસ્યાનો ઉલ્લેખ કર્યો.
ક્ષમા, મન, તપસ્યા... ખેડૂતો માટે પીએમના શબ્દો
પીએમ મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં કહ્યું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.
5 દશકની રાજનીતિક જીવનનો ઉલ્લેખ
પીએમ મોદીના આ ભાષણમાં ખેડૂતોને લઈને પોતાના ભાવને પણ વ્યક્ત કર્યો. પોતાના 5 દશના રાજકીય જીવન અંગે જણાવ્યું કે તેમણે ખેડૂતોના પડકારોને નજીકથી જોયા છે. તેમની સરકાર ખેડૂતોના હિત માટે કાયદો લાવી હતી. તેમણે કહ્યું કે તેમનો હેતુ ખેડૂતોને વધારે લાભ કરાવવાનો હતો.