જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકવાદી હુમલામાં 42 જેટલા જવાનો શહીદ થયા છે. ત્યારે આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ જધન્ય કૃત્યથી આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. જેમાં 42 જેટલા પરિવારોએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે ત્યારે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે.
વડોદરામાં એક પરિવારે તો આ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને શોક વ્યક્ત કરવા પોતાના પુત્રની જાનમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપી પોતાના ઘરેથી જાન પ્રસ્થાન થઇ ત્યારથી જ લગ્ન ગીતોના બદલે દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા.
આ ઉપરાંત શ્રદ્ધાંજલિ આપતા બેનરો સાથે જાન માંડવા સુધી પહોંચી પરિવારના પુત્રની ઉજવણીને પણ સાદી રીતે કરીને પોતાના આ પ્રસંગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને પાકિસ્તાન અને આંતકવાદીઓ દ્વારા કરવામાં આવતા આવા હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાની જાનૈયાઓએ માંગ કરી હતી.