પૌંઆ ભારતના અલગ અલગ ભાગમાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના લોકો તેને ખૂબ જ શોખથી બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેતા હોય છે. તે એક હેલ્ધી બ્રેકફાસ્ટ ગણવામાં આવે છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ફેક્ટરીમાં પૌંઆ કઇ રીતે બને છે. તેને ધાન એટલે કે ચોખાની મદદથી બનાવવામાં આવે
એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે પૌંઆ
ચોખામાંથી આ રીતે બને છે પૌંંઆ
જાણો પૌંઆની મેકિંગ પ્રોસેસ
આ રીતે ફાયદારૂપ છે પૌંઆ
પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન વધારે પ્રમાણમાં મળે છે. તે પ્રેગનન્ટ વુમન અને બાળકો માટે બેસ્ટ બ્રેકફાસ્ટ ગણવામાં આવે છે. તે હિમોગ્લોબીનનું લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટિસના રોગીને માટે બેસ્ટ સ્નેક્સ ફૂડનો વિકલ્પ બને છે. તે બ્લડમાં શુગર બનતી રોકવાની પ્રોસેસને ધીમી કરે છે. તેને ખાધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પૌંઆ ધાન એટલે કે ચોખાની મદદથી બનાવવામાં આવે છે. તેને માટે પૌંઆની મિલોમાં તેને ખાસ પ્રકારની પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે પૌંઆ ફેક્ટરીમાં કઇ રીતે તૈયાર કરવામાં આવે છે.
પૌંઆની મિલમાં મંડીથી ખાસ પ્રકારનું ધાન ચોખા લાવવામાં આવે છે.
સૌ પહેલાં ક્લીનર મશીનની મદદથી ધાનમાંથી માટી સાફ કરવામાં આવે છે.
સાફ કરાયેલી ચોખાને પાણીથી ભરેલા ટેન્કમાં નાંથીને 8 કલાક સુધી પલાળી રાખવામાં આવે છે.
ત્યારબાદ પાણી કાઢીને 16 કલાક સુધી આ ચોખાને રહેવા દેવામાં આવે છે.
ત્યારબાદ ચોખાને રોસ્ટરમાં નાંખીને હાઇ ટેમ્પ્રેચર પર શેકવામાં આવે છે.
ગરમ ચોખાને પૌંઆ મશીનમાં નાંખવામાં આવે છે. જ્યાં ચોખાના છોતરાં અલગ થાય છે અને જાડા પૌંઆ બને છે.
આ પૌંઆને ચારણીમાં ક્લીન કરવા માટે નાંખવામાં આવે છે.
ક્લીન થયા બાદ પૌંઆને ફ્લેકર મશીનમાં નાંખવામાં આવે છે, જ્યાં તેને પાતળા કરવામાં આવે છે.
અલગ અલગ જાડાઇના પૌંઆ બનાવવા માટે અલગ અલગ ફ્લેકર્સ વાપરવામાં આવે છે.
ચોખાથી લઇને ફ્લેકર નીકળવા સુધી 40% છોતરાં અને ટુકડા ભૂસું નીકળી જાય છે અને 60% પૌંઆ બચે છે.
આ પૌંઆ પેક કરીને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.