કોરોનાથી સાજા થઈ રહેલા દર્દીઓને ધૂંધળું દેખાવવાની સાથે માથું દુઃખવાની ફરિયાદ જોવા મળી રહી છે. આ સાથે જો તમને પણ આવા લક્ષણો દેખાય તો તમે એલર્ટ રહો તે જરૂરી છે.
કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં જોવા મળી સાઈડ ઇફેક્ટ
ધૂંધળું દેખાવવાની સાથે માથું દુઃખવાની ફરિયાદ રહે છે
આવા લક્ષણો દેખાય તો તમે એલર્ટ રહોતે જરૂરી
કોરોના વાયરસનું સંક્રમણ ફેફસાને નુકસાન કરે છે તેની સાથે જ શરીરના અન્ય ભાગ પર પણ તેની અસર જોવા મળે છે. કોરોનાથી સાજા થયેલા દર્દીમાં ઓછું દેખાવવું કે પછી માથું દુઃખવાની ફરિયાદ જોવા મળે છે. કોરોના દર્દીની સાથે જે લોકો લાંબા સમયથી ઘરે થી કામ કરી રહ્યા છે તેમને પણ આંખ અને માથું દુઃખવાની સમસ્યા રહે છે. આંખના રોગીની સંખ્યા ગયા વર્ષ કરતા બમણી થઈ છે. ખાસ કરીને બાળકોમાં પણ આ મુશ્કેલી વધી રહી છે.
ડોક્ટરે કહી આ વાત
જાણીતા ડોક્ટરનું કહેવું છે કે કોરોનાથી સંપૂર્ણ રીતે સાજા થયેલા લોકોમાં માથું દુઃખવાની ફરિયાદ જોવા મળી રહી છે. એવામાં દર્દીની તપાસ બાદ ન્યૂરો અને નેત્રરોગના વિશેષજ્ઞની પાસે મોકલાય છે. આંખ નબળી થવાના કારણે દર્દીને માથામાં દર્દ રહે છે. કોરોનાની અસર શરીરના દરેક અંગ પર પડે છે માટે આંખ પણ પહેલા કરતા ઝડપથી નબળી પડે છે. સાથે જે દર્દીને કોરોનાના સમયે સ્ટીરોઈડનો ઉપયોગ કર્યો છે તેમની આંખ પર તેની અસર જોવા મળે છે.
કોરોના સિવાય આ દર્દીઓને પણ જોવા મળે છે તકલીફ
કોરોનાના દર્દીઓ સિવાય જે લોકો સ્વસ્થ છે અને ખાસ કરીને લોકડાઉનના સમયથી ઘરેથી કામ કરી રહ્યા છે તેમને પણ આંખની તકલીફ જોવા મળી રહી છે. તેમનામાં ખાસ કરીને કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. ડોક્ટર કહે છે કે લેપટોપ અને મોબાઈલ સ્ક્રીનથી સતત નીકળતા તરંગો પણ આંખને નુકસાન કરે છે.
બાળકોમાં વધી રહી છે આંખની તકલીફો
દિલ્હીની હોસ્પિટલમાં કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે અહીં આવનારા 60 ટકા બાળકો એવા છે જે એક વર્ષથી શાળાએ જઈ રહ્યા નથી અને ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે. આ કારણે આંખો પર પહેલા કરતા વધારે સ્ટ્રેન પડે છે. બાળકો પર પેરન્ટ્સનું નજર રાખવું જરૂરી છે. જેથી તેમને આંખની તકલીફોથી બચાવી શકાય. આ સિવાય પણ જો કોઈ તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે.