રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના કર્ચમારીઓ-પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના કર્મચારી-પેન્શનરોના પગારમાં મોંઘાવરી ભથ્થાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય
કર્મચારી-પેન્શનરોના પગારમાં મોંઘાવીર ભથ્થાના કરાયો વધારો
રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘાવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત ગાંધીનગર ખાતેથી કરવામાં આવી હતી.
કર્મચારીઓ જે શિક્ષણ વિભાગમાં છઠ્ઠા પગાર પંચ હેઠળ આવે છે તેમને જુલાઇ-2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. એક પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગના કર્મચારીઓને આ વધારો જાન્યુઆરીથી રોકડમાં ચુકવામાં આવશે.
જ્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં જે વિદ્યા સહાયકોના બે વર્ષ પૂર્ણ થયા છે તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્ય સરકારે ગત વર્ષે જૂનમાં તમામ વિદ્યાસહાયકોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો હતો.