ચૈત્રી અમાસના દિવસે કરો પિતૃની ખાસ પૂજા, થશે અનેક લાભ
ક્યારે છે ચૈત્રી અમાસ ?
31થી શરુ થઇને 1લી એપ્રિલ સવાર 11 વાગ્યા સુધી અમાસ
પિતૃઓની વિશેષ કૃપા મેળવવાનો અવસર
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તારીખને લઈને કેટલાક લોકોમાં મૂંઝવણ છે. કેટલાક લોકો 31મી માર્ચે અમાસ કરે છે તો કેટલાક લોકો 1લી એપ્રિલે અમાવસ્યા કરે છે. તમને જણાવી દઈએ કે 31મી માર્ચે અમાસની તિથિ બપોરે 12 વાગ્યે શરૂ થશે અને 1લી એપ્રિલના બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો 31મી માર્ચે અમાસ કરી રહ્યા છે અને કેટલાક લોકો 1લી એપ્રિલના રોજ અમાસ કરી રહ્યા છે.
અમાસ બંને દિવસે છે
જ્યોતિષોના મતે અમાસ બંને દિવસે થશે. શ્રાદ્ધ કર્મની અમાસ 31મી માર્ચે અને સ્નાન અને દાનની અમાસ 1લી એપ્રિલે ઉજવવામાં આવી રહી છે. અમાસ પર પિતૃઓની વિશેષ પૂજા કરવાનું મહત્વ હોય છે. કહેવાય છે કે આ તિથિએ પિતૃઓની પૂજા કરવાથી તેમના આશીર્વાદ ઘરમાં રહે છે. 31 માર્ચ ગુરુવારે અમાવસ્યા શ્રાદ્ધ કર્મ અને સ્નાન અને દાન માટે યોગ્ય છે, શુક્રવારની પણ અમાસ યોગ્ય રહેશે.
અમાસ કેટલા વાગ્યા સુધી ?
અમાવસ્યા તિથિ 31મી માર્ચે બપોરે 12.22 વાગ્યાથી શરૂ થશે.
અમાવસ્યા તિથિ સમાપ્ત થાય છે - 01 એપ્રિલના રોજ સવારે 11.53 સુધી.
બ્રાહ્મી યોગ- સવારે 09 થી 37 મિનિટ. આ પછી ઈન્દ્રયોગ શરૂ થશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ - 10:40 AM થી 06:10 AM, એપ્રિલ 02
અભિજિત મુહૂર્ત - બપોરે 12:00 PM થી 12:50 PM
અમૃત સિદ્ધિ યોગ - 10:40 AM થી 06:10 AM, એપ્રિલ 02
અમાસનું શું છે મહત્વ ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત રાખવાથી અને ચંદ્ર દેવની પૂજા કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે પવિત્ર નદીઓ, તળાવોમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે.હિન્દૂ માન્યતાઓ અનુસાર સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે આ દિવસની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લોકોનો ઉદ્ધાર થાય છે. આ દિવસે પૂર્વજોની પણ પૂજા કરવામાં આવે છે. વળી એવી પણ માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને ચંદ્રની પૂજા કરવાથી ચંદ્ર દેવતા પ્રસન્ન થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. કહેવામાં આવે છે કે આ તિથિ પર પિતૃ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. એટલા માટે આ તિથિ પર પૂર્વજો માટે પ્રાર્થના કરવામાં આવે છે. પિતૃની પૂજા થવાથી આ અમાસને શ્રાદ્ધ અમાસ પણ કહેવામાં આવે છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસ પિતૃ તર્પણ, સ્નાન- દાન વગેરે કરવું ખૂબ જ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે.