મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM રૂપાણીનું સંબોધનમાં કહ્યું ગુજરાત નસીબદાર છે 13 વર્ષ સુધી PM મોદીનું નેતૃત્વ મળ્યુ
સરકારને 5 વર્ષ પૂર્ણ થતા કરાશે ઉજવણી
મહાત્મા મંદિર ખાતે CM રૂપાણીએ કર્યું સંબોધન
મુખ્યમંત્રીએ કહ્યું વિકાસનું રોલ મોડલ ગુજરાત બન્યુ
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ઉજવણીની કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગષ્ટ, 2016ના રોજ 16માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. 7 ઓગસ્ટે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જેને લઈ 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે.
1 ઓગસ્ટે- જ્ઞાન શક્તિ દિન
શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM રૂપાણીનું સંબોધન કરતા કહ્યું કે ગુજરાત નસીબદાર છે 13 વર્ષ સુધી PM મોદીનું નેતૃત્વ મળ્યુ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે જ્ઞાનની વાત કરી તમે અજ્ઞાનની વાત કરો છો, ભાજપની સરકાર કહે છે તે કરે છે.
સરકાર જે કહે છે તે કરે છે
એટલું જ નહીં પાંચ વર્ષમાં અમે જનતાના સપના સાકાર કરવાના કામો કર્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અમે વિકાસની વાત કરી તમે વિનાશની વાત કરો છો. આ વિરોધ કરીને તમે સાબિત કર્યું કે તમે વિપક્ષને પણ લાયક નથી.
વિરોધીઓને ગુજરાત વિકાસ કરે તે ગમતુ નથી
મહત્વનું છે કે પાંચ વર્ષના કાર્યકાળમાં અનેક મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે તેને લઈ પાંચ વર્ષ દરમિયાન કરેલા કામોનો હિસાબ આપવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત વિકાસનું રોલ મોડલ બની રહ્યુ છે. અમે સર્વોત્તમ ગુજરાત બનાવવા આગળ વધી રહ્યા છે અને વિરોધીઓને ગુજરાત વિકાસ કરે તે ગમતુ નથી.
આ 9 દિવસ ચાલનારો સેવાયજ્ઞ છે
મુખ્યમંત્રીએ જણાવ્યું છે આ ઉજવણી નથી આ 9 દિવસ ચાલનારો સેવાયજ્ઞ છે આ સેવાયજ્ઞમાં તમામ સેક્ટરો આવરી લેવામાં આવ્યા છે, ગુજરાતના શિક્ષણને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું છે ગામડાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટી ઉભી કરી સ્કૂલ ઓફ એક્સલન્સ તરફ આગળ વધી રહ્યા છે. સીએમ રૂપાણીને જણાવ્યું કે 5 હજાર કરોડથી વધુને વિકાસ કાર્યોની વાત છે.
ગુજરાતના શિક્ષણને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું છે
બજેટમાં સૌથી વધુ 31 હજાર કરોડ શિક્ષણ વિભાગને ફાળવ્યા છે. પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં નવા ઓરડા, બિલ્ડીંગ બનાવ્યા છે. આજે પણ 1 હજાર નવા ઓરડાનું લોકાર્પણ કર્યું છે. 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું. પ્રાથમિક શાળાઓ સુધી ઈન્ટરનેટ પહોંચાડ્યું છે.
1 ઓગસ્ટે- જ્ઞાન શક્તિ દિન
શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ
2 ઓગસ્ટ- સંવેદના દિન
નાગરિક સેવા માટે 250 તાલુકા 150 નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન વાઇઝ વોર્ડ દીઠ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
3 ઓગસ્ટ- કેબિનેટ દિવસ
CM સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે કેબિનેટ બેઠક બાદ વિવિધ ક્ષેત્રના મુલાકાતીઓને મળશે
4 ઓગસ્ટ- મહિલા સશક્તિકરણ
શહેરોની 5 હજાર સહિત 10 હજાર સખીમંડળોની જોડી રાજ્યની એક લાખ બહેનોને બેંક ધીરાણ આપવા રાજ્યમાં 100 સ્થળે કાર્યક્રમ
5 ઓગસ્ટ- ધરતીપૂત્ર સમ્માન દિન
ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાત 50 કિસાન સૂર્યોદય યોજના અને 50 સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના કુલ 100 સ્થળે યોજાશે