કોરોના વાયરસ સામે આખુ વિશ્વ લડી રહ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે વેક્સિન કરવામાં લાગેલા છે. પરંતુ કોઈ સફળતા મળતી હોય તેમ જણાતું નથી. ત્યારે વૈશ્વિક મંચ પર એક મુદ્દો સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાક વિશેષજ્ઞો સલાહ આપી રહ્યા છે કે વાયરસની કોઈ ચિંતા કર્યા વગર જેટલો ફેલાઈ શકે તેટલો ફેલાવી દેવો જોઈએ. આનાથી હર્ડ ઈમ્યુનિટી થશે અને આ મહામારી ખુદ ખતમ થઈ જશે. પરંતુ આ સલાહ કેમ ચર્ચાનું કેન્દ્ર બની છે?
ઈકોનોમિની બલીને ધ્યાને રાખી જોખમવાળા લોકોની બલી આપવી પડશેઃ વિશેષજ્ઞ
લોકોને સંક્રમિત થવા છોડી દેવાય તો ખુબ જ ખતરનાક સાબિત થઈ શકેઃ WHO
શું કોરોના મહામારીથી બચવા તમામ લોકોને સંક્રમિત થવા માટે છોડી દેવા જોઈએ? તમને આ સાંભળીને મજાક લાગતી હશે અથવા તો ગુસ્સો આવતો હશે? પરંતુ વિશ્વમાં આને પણ એક વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. હાલ દુનિયામાં વિશેષજ્ઞોની વચ્ચે આ મુદ્દો છેડાયો છે કે આવુ કરવું જોઈએ કે નહીં? આના પક્ષમાં પણ દલીલો આવી રહી છે અને અને વિરોધમાં પણ આવી રહી છે. આખરે આ વિકલ્પનો આધાર શું છે અને કેમ આવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ હંમેશા માટે લાગુ ન રહી શકે. જ્યાં સુધી કોવિડ 19ની વેક્સિન ન બની જાય ત્યાં સુધી સંકટ ખુબ જ વધારે છે. તો શું વેક્સિન બનવા સુધી લોકડાઉન ચાલુ રાખવાનું? બિલ્કુલ નહીં. કારણ કે બીમારીથી વધારે લોકો આને રોકવાની મથામણથી મરવા લાગશે, અર્થવ્યવસ્થા ચોપટ થઈ જશે, અભૂતપર્વ બેરોજગારીનું સર્જન થશે અને એવું પણ બની શકે કે લોકોને ભુખ્યા મરવાનો વારો આવે.
હર્ડ ઈમ્યૂનિટીના કોન્સેપ્ટને પ્લાન B ગણવામાં આવે છે
કોરોનાની વેક્સિન તો હજુ સુધી શોધાઈ નથી. તેના કારણે હવે વેક્સિન બને ત્યાં સુધી હર્ડ ઈમ્યૂનિટીના કોન્સેપ્ટથી લોકોની આશા જાગી છે. આને જ પ્લાન B ગણવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત લોકોને ખુલ્લા છોડી દેવાના સંક્રમણ માટે. જેનાથી હર્ડ ઈમ્યૂનિટી વિકસિત થશે અને આખરે આ મહામારી ખતમ થઈ જશે. પરંતુ આમાં જોખમ એટલું છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકોના ભિન્ન ભિન્ન મતમંતાર જોવા મળી રહ્યા છે. કેટલાક વિશેષજ્ઞો આ વિકલ્પનો સીધો વિરોધ કરી રહ્યા છે. જો લોકોને વાયરસના સંક્રમણમાં આવવા માટે છોડી દેવામાં આવે તો વૃદ્ધો અને પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડિત લોકો સાથે મોટો અન્યાય થશે.
શું કહ્યું ઓસ્ટ્રેલિયાના વિશેષજ્ઞએ?
ઓસ્ટ્રેલિયાના એક વિશેષજ્ઞએ એક સમાચાર પત્રમાં લખ્યું કે આ માટે આપણે ઈકોનોમિની બલીને ધ્યાને રાખી જોખમવાળા લોકોની બલી આપવી પડશે. તો આ પ્લાન બી પર વિશ્વ આરોગ્ય સંસ્થાનો મત છે કે આ વિકલ્પ બિલકુલ ઉચિત નથી. તો સ્વીડનમાં લોકડાઉન નથી. આના કારણે સ્વીડનના પાડોશી દેશોની સરખામણીએ વધારે મોત જરૂર થયા છે. તેમ છતાં અહીં અન્ય યુરોપિયન દેશોની સરખામણીએ કોરોનાની સ્થિતિ સારી છે.
કેટલી જોખમી છે હર્ડ ઈમ્યૂનિટી?
હર્ડ ઈમ્યૂનિટી માટે લોકોને સંક્રમિત થવા માટે છોડી દેવામાં આવે. આ ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 60થી 85 ટકા વસ્તી સંક્રમિત થઈ જાય તો આના વિનાશકારી પરિણામની કલ્પના પણ ન કરી શકાય. લાખો કે કરોડો લોકો મોતને ભેટે. કેનેડાના ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર થેરેસા ટૈમે કહ્યું કે, જો આવુ કરવામાં આવ્યું તો મોત જ નહીં બીમારીની અસર પણ ખતરનાક સાબિત થશે, માત્ર મૃત્યુઆંકની ચિંતાની વાત નથી, બીમારીથી જે જીવતા બચેલા રહેશે તેમની કિડની, લિવર, હ્રદય અને મગજનું થનારુ નુક્સાન પણ મોટી ચિંતાની વાત સાબિત થશે.
શું છે હર્ડ ઈમ્યૂનિટી?
જ્યારે ઘણા બધા લોકો કોઈ સંક્રમિત બીમારીની પ્રતિ ઈમ્યૂન થઈ જાય. એટલે કે તે લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ જાય તો બીમારી બાકી બચેલા અસંક્રમિત લોકોને પોતાની ચપેટમાં નહીં લઈ શકે. કારણ કે આખો સમૂહ જ ઈમ્યૂન થઈ ચુક્યો હોય છે. આને જ હર્ડ ઈમ્યૂનિટી કહેવામાં આવે છે. આ રોગ પ્રતિકારક શક્તિ કાંતો વેક્સિનથી મળશે કે પછી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થાય તો અંદરો અંદર ઈમ્યૂનિટી વિકસિત થવાથી થશે. ઉદાહરણ તરીકે ન્યૂમોનિયા અને મેનિન્ઝાઈટિસ જેવી બીમારીઓની વેક્સિન આપીને બાળકોને તેના પ્રત્યે ઈમ્યૂન બનાવવાનું પરિણામ એ આવ્યું કે અન્ય લોકો આ બીમારીની ચપેટમાં ઓછા આવ્યા. તો આ હર્ડ ઈમ્યૂનિટી કેવી રીતે કામ કરે છે તેની વાત કરીએ તો જો કેટલાક લોકોમાં કોઈ બીમારી પ્રત્યે ઈમ્યૂનિટી છે તો તે સંક્રમિત બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. જો વધારે લોકોમાં વેક્સિન કે એક્સપોઝરનું કારણ ઈમ્યૂનિટી આવે તો વાયરસ ફેલાવવાનું રોકાઈ જાય છે.