જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત વિરૂદ્ધ માહોલ બનાવવા અને સમર્થન મેળવવાની કોશિશમાં લાગેલું છે પરંતુ તેને હજી સુધી તેમને આશા અનુસાર તેઓને સફળતા નથી મળી. આ સંબંધમાં તેમની નારાજગી પણ જોવા મળી છે. જો કે આવી સ્થિતિમાં પાકિસ્તાનને વધુ ફરી એક વાર આકરો ઝટકો લાગ્યો છે.
કાશ્મીર મુદ્દા પર આપણે ભારતનું સમર્થન કરવું જોઇએઃ રિજાર્ડ જાર્નેકી
સમગ્ર યૂરોપમાં હુમલાઓનું ષડયંત્ર રચવાનું કામ થાય છે પાકિસ્તાનમાંઃ ફુલ્વિયો માર્ટુસિએલો
યૂરોપિયન યૂનિયનનાં સાંસદ રિજાર્ડ જાર્નેકીએ કહ્યું કે,
'ભારતમાં આતંકી ચાંદથી નહીં પરંતુ પાડોશી દેશથી આવે છે.'
Ryszard Czarnecki, European Conservatives&Reformists Group,Poland: India is the greatest democracy of the world. We need to look at terrorist acts that took place in India,J&K.These terrorists didn't land from moon.They were coming from neighboring country.We should support India pic.twitter.com/Q0zdYWd8F8
પાકિસ્તાન પોલિશ નેતાનું આ નિવેદન સાંભળીને ભડકી શકે છે કેમ કે આ તેઓની પોલ ખોલી નાખે છે. આ સાથે જે તેઓએ કાશ્મીર મુદ્દા પર ભારતનો સાથ આપવાની વાત કહી. પોલેન્ડનાં નેતા અને યૂરોપિયન યૂનિયનનાં સાંસદ રિજાર્ડ જાર્નેકી (Ryszard Czarnecki) એ કહ્યું કે, ભારતમાં આતંકી ચાંદથી નહીં પરંતુ પાડોસી દેશમાંથી આવે છે. તેમણે વધુમાં એમ કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આપણે ભારતમાં થનારા આતંકી હુમલાઓને જોવાની જરૂરિયાત છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી ચાંદથી નહીં આવતા, પાડોશી દેશથી આવે છે. આપણે કાશ્મીર મુદ્દા પર ભારતનું સમર્થન કરવું જોઇએ.
Fulvio Martusciello,Group of European People's Party (Christian Democrats), Italy: Pakistan has threatened to use nuclear arms. Pak is somewhere where terrorists have been able to plan bloody terrorist attacks in Europe without mentioning tremendous human rights violation in Pak pic.twitter.com/7jhYJSPGNj
આ સિવાય ઇટલીનાં ગ્રુપ ઑફ યૂરોપિયન પીપુલ્સ પાર્ટી (ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ)નાં ફુલ્વિયો માર્ટુસિએલો (Fulvio Martusciello) એ કહ્યું કે, પાકિસ્તાને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાન એવી જગ્યા છે, જ્યાં આતંકીઓ સમગ્ર યૂરોપમાં હુમલાઓનું ષડયંત્ર રચવાનું કામ કરે છે. પાકિસ્તાન માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ પહેલા યૂરોપિયન યૂનિયન સંસદે ભારત અને પાકિસ્તાનથી કાશ્મીર મુદ્દાઓ પર વાતચીત કરવાની અપલી કરી હતી. જેથી બંને દેશોની વચ્ચે શાંતિ જળવાયેલી રહે.'