પશ્ચિમ જર્મની અને બેલ્જિયમના અનેક વિસ્તારોમાં આવેલા પુરે 120 લોકોના જીવ લીધા છે.
પુરે 120 લોકોના જીવ લીધા
જર્મન રાષ્ટ્રપતિએ કહ્યું એક બીજાની મદદ કરો
1300 લોકો ગુમ હોવાની આશંકા
પુરે 120 લોકોના જીવ લીધા
પશ્ચિમ જર્મની અને બેલ્જિયમના અનેક વિસ્તારોમાં આવેલા વિનાશકારી પુરે 120 લોકોના જીવ લીધા હોવાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે સેંક્ડો લોકો ગુમ અથવા ખતરાનો સામનો કરી રહેલા લોકો માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જર્મનીના રિનેલેન્ડ પલાટિનેટ રાજ્યમાં 60 લોકોના મોત થઈ ગયા અને જેમાંથી 12 લોકો સિનજિગમાં દિવ્યાંગ આશ્રય કેન્દ્રમાં રહેનારા હતા. પડોશના ઉત્તર રિને વેસ્ટફાલિયા રાજ્યમાં મૃતકોની સંખ્યા 43 છે. સાથે એ ચેતવણી પણ આપવામાં આવી છે કે મૃતકોનીા સંખ્યા વધી શકે છે.
I'm sending my love and prayers to the people of Germany, Belgium, & western Europe, on devastating floods that has hit them. Hopeful that you’re safe. We need to take climate change seriously. https://t.co/ElMaAW40Pq
જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રૈંક વાલ્ટર સ્ટીનમેયરે કહ્યું કે પુરના કારણે વિનાશથી સ્તબ્ધ છે. તેમણે મૃતકોના પરિવાજનો અને પીડિતોના વ્યાપક નુકસાન સહી રહેલા લોકોને મદદ કરવા લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે મુશ્કેલીના આ સમયે આપણો દેશ એક સાથે ઉભો છે. આ મહત્વપૂર્ણ છે.
ભૂસ્ખલનથી અનેક લોકોના જીવ ગયા
શુક્રવારે રેસ્ક્યૂ કર્તા કોલોગ્રેએ દક્ષિણ પશ્ચિમમાં સ્થિતિ એફ્ટ્સડટ શહેરમાં પોતાના ઘરમાં ફસાલેયા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિય અધિકારીઓએ કહ્યું કે અનેક લોકો જમીન સરકવાને કારણે ઘર ધરાશાયી થતા માર્યા ગયા છે.
1300 લોકો ગુમ હોવાની આશંકા
અધિકારીઓએ ગુરુવારે સાંજે કહ્યું કે જર્મનીમાં લગભગ 1300 લોકો હવે ગુમ છે જો કે ચેતવ્યા કે વધારે સંખ્યા રસ્તાઓ તુટવા અથવા ફોન કનેક્શનોના ઠપ થવાના કારણે લોકોનો સંપર્ક કરવામાં સમસ્યા આવી રહી છે. જર્મનીમાં 100 લોકોના જીવ ગયા બાદ બેલ્જિયમમાં સૌથી વધારે લોકોના જીવ ગયા છે. બેલ્જિયમના ગૃહ મંત્રી એન્નેલિયેસ વિરલિંડે શુક્રવારે વીઆરટી નેટવર્કને જણાવ્યું કે દેશમાં મરનારાનો સત્તાવાર આંક વધીને 18 થયો છે. તો 19 લોકો ગુમ છે.