ડબ્લ્યૂએચઓએ ચેતવણી જારી કરી છે કે જો આ તેજીથી મામલા વધતા રહ્યા તો યુરોપમાં કોવિડ 19ના ચાલતા 7 લાખ મોત થઈ શકે છે.
યુરોપમાં કોવિડ 19ના ચાલતા 7 લાખ મોત થઈ શકે- WHO
સંક્રમણથી મોતના કુલ મામલા 20 લાખથી વધારે થઈ શકે
સંવેદનશીલ વસ્તીમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં પ્રાથમિકતા આપવી જોઈએ
યુરોપમાં કોવિડ 19ના ચાલતા 7 લાખ મોત થઈ શકે- WHO
યુરોપમાં કોરોના વાયરસના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેજીથી વધતા મામલાને મુખ્ય સ્વાસ્થ્ય એકમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) અને વિશેષજ્ઞોને હેરાન કરી દીધા છે. ડબ્લ્યૂએચઓએ ચેતવણી જારી કરી છે કે જો આ તેજીથી મામલા વધતા રહ્યા તો યુરોપમાં કોવિડ 19ના ચાલતા 7 લાખ મોત થઈ શકે છે. WHOના યૂરોપ ઓફિસે કહ્યું છે કે પૂર્વાનુમાનો મુજબ મહાદ્વીપના 53 દેશોમાં આવનારા મહિનામાં કોરોનાથી વધુ 7 લાખ લોકોના મોત થઈ શકે છે. જેનાથી સંક્રમણથી મોતના કુલ મામલા 20 લાખથી વધારે થઈ શકે છે.
સંવેદનશીલ વસ્તીમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં પ્રાથમિકતા આપવી જોઈએ
WHO યુરોપના કાર્યાલય ડેનમાર્કની રાજધાની કોપેન હેગનમાં છે. સંગઠનને સંક્રમણથી સુરક્ષાના ઉપાયોમાં ઘટાડો અને રસીથી સામાન્ય બિમારીઓની સામે આવવાથી વધતા સાક્ષ્યોનો હવાલો આપ્યો છે. સાથે કહ્યું કે નબળી ઈમ્યુનિટિ વાળા લોકો, 60 વર્ષથી વધારે ઉંમરના લોકો તથા સ્વાસ્થ્ય કર્મીઓ સહિત સૌથી વધારે સંવેદનશીલ વસ્તીમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં પ્રાથમિકતા આપવી જોઈએ.
જો કે જિનેવામાં WHOના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયે વર્ષના અંતમાં બૂસ્ટર ડોઝના ઉપયોગ પર પ્રતિબંધની વારંવાર વકિલાત કરી છે. જેથી તે અનેક વિકાસશીલ દેશો માટે ડોઝ ઉપલબ્ધ કરાવી શકાય. જ્યાં અમીર દેશોની સરખામણીમાં કોરોનાની રસીમાં ઘટાડો આવી રહ્યો છે.
યુરોપમાં કોરોનાની સ્થિતિ બહું ગંભીર
WHO યુરોપના લોકોને રસી લગાવવા તથા તેમાં યોગ્ય સાફ સફાઈનું ધ્યાન રાખવાની ભલામણ કરતા સોશિયલ ડિસ્ટન્સિંહ રાખવાનું કહ્યું છે. જેથી વાયરસને ફેલાતો અટકાલી શકાય.
WHO યુરોપના ક્ષેત્રીય ડિરેક્ટ ડો. ક્લૂજે એક નિવેદનમાં કહ્યું , આજે આખા યુરોપમાં અને મધ્ય એશિયામાં કોરોનાની સ્થિતિ બહું ગંભીર છે અમારી સામે આવનારા ઠંડીના પડકારો છે. પરંતુ આશા નહીં છોડવી જોઈએ. કેમ કે તમામ સરકારો, સ્વાસ્થ્ય અધિકારી અને સામાન્ય લોકો મહામારી પર કાબૂ મેળવવામાં નિર્ણાયક કાર્યવાહી કરી શકે છે.