અનંતનાગમાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અરવાણી વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારેય બાજુથી ઘેરી લીધા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ અથડામણમાં 1 આતંકવાદી માર્યો ગયો છે. જોકે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી નથી. સુત્રોના જણાવ્યા અુસાર હજી પણ 2-3 આતંકીઓ છુપાયા હોવાની ઈનપુટ સુરક્ષાદળોને મળી છે. આતંકવાદીઓને સુરક્ષાબળોના જવાનોથી બચીને ભાગવું ખૂબ મુશ્કેલ છે.
તાજેતરમાં જ અનંતનાગમાં આંતકવાદીઓએ એક ચોકી પર ગોળીબાર કર્યો હતો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અનંતનાગમાં એક ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસના ASI મોહમ્મદ અશરફ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ તેઓ શહીદ થઈ ગયા.નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સુરક્ષા દળોએ કુલગામમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.