પાકિસ્તાનમાં ડિસેમ્બરમાં યોજાનાર એશિયાઇ ઇમર્જિંગ નેશન્સ કપની છ મેચની મેજબાની કરશે. જો કે ભારતે સુરક્ષાના કારણોને લઇને પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કરી દીધો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીસીસીઆઇએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ કરાચી અથવા લાહોર મોકલવાનો ઇન્કાર કરી દીધો છે જેમાં એશિયાઇ દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે.
પાકિસ્તાન બોર્ડે કહ્યું છે કે ભારત પોતાની બધી મેચો શ્રીલંકામાં રમશે અને ફાઇનલ પણ કોલંબોમાં રમાડવામાં આવશે. પાકિસ્તાન સાથે તેના ગ્રુપમાં બાંગ્લાદેશ યુએઇ અને હોંગકોંગને રાખવામાં આવ્યાં છે.
આ ગ્રુપની તમામ મેચ પાકિસ્તાનના કરાંચીના મેદાનમાં રમાડવામાં આવશે. જ્યારે બીજા ગ્રુપમાં ભારત શ્રીલંકા અફઘાનિસ્તાનને રાખવામાં આવ્યાં છે. આ ગ્રુપની તમામ મેચ કોલંબોમાં રમાડવામાં આવશે.
પાકિસ્તાન બોર્ડના અધિકારીએ જણાવ્યું કે કરાચીમાં ત્રણ મેચ નેશનલ સ્ટેડિયમમાં રમાશે જેમાં હાલના તબક્કે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્રણ અન્ય મેચ સાઉથેડ ક્રિકેટ મેદાનમાં રમાડાશે.
યજમાની કરતાં પાકિસ્તાનના અધિકારીએ કહ્યું મહેમાન ટીમ માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરાચીમાં હાઇ લેવલની સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.