જો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવવામાં સફળ થાય છે, તો તેને પ્લેઓફમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. છેલ્લી લીગ મેચ હાર્યા બાદ પણ પ્લેઓફમાં પહોંચવાની તક મળશે.
IPLમાં આજે સીઝન-16ના લીગ સ્ટેજનો છેલ્લો દિવસ
ગુજરાત, ચેન્નાઈ, લખનૌ ત્રણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય
બેંગ્લોર, મુંબઈ અને રાજસ્થાન છેલ્લા સ્થાનની રેસમાં
IPL 2023નો ઉત્સાહ જોરશોરથી ચાલી રહ્યો છે. આજે સીઝન-16ના લીગ સ્ટેજનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ એમ કુલ ત્રણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે અને આજે અંતિમ ટીમ નક્કી કરવામાં આવશે. ત્રણ ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફના છેલ્લા સ્થાનની રેસમાં છે. આમાંથી સૌથી વધુ તક ફાફ ડુપ્લેસીના નેતૃત્વમાં આરસીબીની છે. જો RCB પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે, તો ચાહકો ફરી એકવાર લખનૌ સુપર જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર જોઈ શકે છે. હા જો RCB આજે તેની છેલ્લી લીગ તબક્કાની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવવામાં સફળ થશે, તો તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે અને એલિમિનેટર મેચમાં LSG સામે ટકરાશે. આવો જાણીએ RCB ના પ્લેઓફ સમીકરણ વિશે..
𝗧𝗵𝗲 𝘀𝘁𝗮𝗸𝗲𝘀 𝗵𝗮𝘃𝗲 𝗻𝗲𝘃𝗲𝗿 𝗯𝗲𝗲𝗻 𝗵𝗶𝗴𝗵𝗲𝗿 🔥🔥
Two adrenaline-filled electric games reserved for a Super Sunday that decides it all 😉
આરસીબી ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સના પણ હાલમાં 14-14 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આ ત્રણેય ટીમોને પ્લેઓફના છેલ્લા સ્થાન માટે દાવેદાર માનવામાં આવી રહી છે. અહીં RCB અને MI પાસે 16-16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.
RCBનો નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા ઘણો સારો
IPL 2023ની 70મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ જીત મેળવવામાં સફળ રહે છે તો તેને પ્લેઓફમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. RCBનો નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા ઘણો સારો છે, તેથી જો MI દિવસની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવશે તો પણ RCB પર કોઈ અસર પડશે નહીં. શરત માત્ર એટલી છે કે મુંબઈ કોઈ પણ કરિશ્મા કરીને આ મેચ મોટા માર્જિનથી ન જીતે, જેના કારણે તે નેટ રન રેટના મામલે આરસીબીથી આગળ નીકળી જાય. RCBનો નેટ રન રેટ 0.180 છે જ્યારે MIનો 0.128 છે.
શું હાર્યા પછી પણ RCB પ્લેઓફમાં પહોંચી શકશે?
ચાહકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે શું આરસીબી તેની છેલ્લી લીગ મેચ હાર્યા બાદ પણ પ્લેઓફમાં પહોંચી શકશે? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો જવાબ હા છે. બસ આ માટે આરસીબીએ દાવપેચ કરવો પડશે.
મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે
જો RCB ગુજરાત ટાઇટન્સ સામે 5 રનથી ઓછા રનથી હારી જાય તો તેનો નેટ રન રેટ મુંબઈ અને રાજસ્થાન બંને કરતા સારો રહેશે. આ સાથે RCBએ MIની હાર માટે પ્રાર્થના કરવી પડશે. આ સ્થિતિમાં હાર્યા બાદ પણ RCB પ્લેઓફમાં પહોંચી જશે અને તેનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે.
વરસાદ આરસીબીની રમત બગાડશે
બેંગ્લોર અને ગુજરાત મેચમાં વરસાદની 50 ટકા શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં RCB માત્ર 15 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જો મુંબઈ તેની છેલ્લી મેચ હારી જશે તો RCBને પ્લેઓફની ટિકિટ મળશે, જ્યારે MI જો જીતશે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.