સંસદના શિયાળુ સત્રમાં એક એવું બિલ મોદી સરકાર રજૂ કરવા જઈ રહી છે કે જેનાથી સંભવતઃ વીજળીના બિલમાં ફેરફાર થાય તેવી સંભાવના છે.
Electricity Amendment Bill 2021 :
સંસદના શિયાળુ સત્રમાં 'તમારા કામનું' એવું બિલ મોદી સરકાર રજૂ કરવા જઈ રહી છે કે જેનાથી સંભવતઃ વીજળીના બિલમાં તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે.
વાત જાણે એમ છે કે આ શિયાળુ સત્રમાં મોદી સરકાર Electricity Amendment Bill 2021 રજૂ કરવાની છે. આ બિલ અંતર્ગત હવે સરકાર વીજ કંપનીઓને ઇલેક્ટ્રિસિટી માટે સબસિડી નહીં આપે.
ડરવાની જરૂર નથી. તમને એમ થશે કે હવે ઇલેક્ટ્રિસિટીના ભાવ વધી જશે પણ એવું નથી, હવે ઇલેક્ટ્રિસિટી બિલમાં ઘટાડો થશે અથવા ભાવ જેમના તેમ રહેશે. કારણ કે આ સબસિડી હવે સરકાર સીધા તમારા ખાતામાં જ જમાં કરાવવાનું પ્લાન કરી રહી છે.
વિગતે વાત કરીએ તો વીજ કંપનીઓ તમને એ ભાવમાં વીજળી આપતી નથી હોતી જે ભાવમાં તેઓને પડે છે. કારણ એમ તો તેઓ ખોટમાં જ હોય છે પણ જ્યારે સરકાર તેઓને સબસિડી પેટે રૂપિયા ચૂકવે છે ત્યારે તેઓ પોતાની કમાણી પણ કરી શકે છે.
હવે એવી વ્યવસ્થા થશે કે તમારે તો બિલની રકમ એટલી જ ચૂકવવાની રહેશે જેટલી વીજ કંપની બિલમાં લખીને આપે છે. એટલે કે પૂરેપૂરું બિલ ચૂકકવું પડશે. પરંતુ અગાઉની જેમ સબસિડીની રકમ હવે સરકાર વીજ કંપનીને નહીં પરંતુ તમારા આકાઉન્ટમાં જમાં કરાવશે.
Electricity Amendment Bill 2021 બાબતે જાણવા જેવુ
1) રાજ્ય સરકાર વીજ વિસ્તરણ કંપનીઓને જે સબસિડી આપે છે. ત્યાર બાદ કંપનીઓ ઇલેક્ટ્રીસીટીનો રેટ નક્કી કરશે. હવે જો સરકાર આ સબસિડી રોકી દે તો શું થાય? તો વીજળીના ભાવમાં અસર પડવાની પ્રબળ સંભાવના છે.
2) તમારા ઘરે વીજળીનું બિલ પહોંચાડનાર કંપનીઓનો દાવો છે કે તેઓ ભારે ખોટ કરીને બિઝનેસ ચલાવે છે. એક રિપોર્ટ અનુસાર 2020-21 નાણાકીય વર્ષમાં તેઓ વાર્ષિક રૂપિયા 90,000 કરોડની ખોટ કરી ચૂકી છે.
3) સરકાર તરફથી સબસિડી મોડી ચૂકવવામાં આવી રહી છે તો તેની સીધી અસર વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પર પણ પડે છે. હવે જો કોઈ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો કંપનીઓ ભાવ વધારી શકે છે. જો કે હાલ તો તેનો અસર તમારા ખિસ્સા પર પડશે. જેની પાછળથી સબસિડી ચૂકવીને સરકાર ભરપાઈ કરી આપશે અને તમને સીધી અસર નહીં થવા દે તેવી આશા છે.
ખેડૂતો સરકારના આ વિધેયકનો પણ વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે તેઓ પર આ બિલના કારણે મોટી અસર થશે. માટે હવે એ તો સમય જ કહેશે કે શિયાળુ સત્રમાં જ્યારે આ બિલ પાસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે શું પરિસ્થિતિ થાય છે.
4) નવા નિયમ અનુસાર કેટલાક પડકારો પણ સ્વાભાવિક રીતે જ આવતા હોય છે. કનેક્શન મકાન માલિક, જમીન, દુકાનના માલિકના નામે હોય છે. મકાનમાલિક આ મામલે સબસિડી મેળવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું. વીજળીના ઉપયોગ અનુસાર સબસિડી નક્કી કરવામાં આવશે. આ માટે 100% મીટરીંગ જરૂરી છે જો કે કેટલાક રાજ્યોમાં મિટર વગર જ વીજળી આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 15 લાખ ખેડૂત કન્ઝ્યુમર્સ છે. જેઓને મિટર વગર જ વીજળી મળી રહી છે. તેઓ ટોટલ ખેડૂત કન્ઝ્યુમર્સના 37% છે. સબસિડી ટ્રાન્સફર કરવામાં ટાઈમ લાગે તો વળી ખેડૂત જ હેરાન થશે તે પણ ખરું.
પીઆર એસ લેજીસ્લેટિવ રિસર્ચ અનુસાર ખેડૂતોને મહિને 5 હજાર બિલ આવી શકે. જેઓને અત્યારે ફ્રી ઇલેક્ટ્રીસીટી મળી રહી છે તેઓને આ રકમ ભારે પડશે.