નવસારી તાલુકાને કોરોનમાં બંધ થયેલી ટ્રેન હજી પણ નહીં મળતા હીરા ઉદ્યોગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને નવસારી રેલ્વે સ્ટેશનને સ્ટોપજ નહીં અપાતા સ્થાનિકોમાં વિરોધ નોંધાયો છે.
કોરોનામાં બંધ થયેલી ટ્રેન ચાલુ ન થતા ડાયમંડના વેપારીઓમાં રોષ
10 થી 2 ની વચ્ચે લોકલ ટ્રેન શરૂ થાય તેવી માંગનો હજુ ઉકેલ આવ્યો નથી
આંદોલન કર્યા વગર વેપારીઓની માંગ ઉકેલાય તેવી અપેક્ષા
નવસારી તાલુકાને કોરોનમાં બંધ થયેલી ટ્રેન હજી પણ નહીં મળતા હીરા ઉદ્યોગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. અંચેલી ગામે સ્ટોપેજના મુદ્દાને લઈ આંદોલન કરાતા સ્ટોપજ અપાયું પરંતુ નવસારી રેલ્વે સ્ટેશનને સ્ટોપજ નહીં અપાતા સ્થાનિકોમાં વિરોધ નોંધાયો છે.
લાંબા સમયથી માંગનો કોઈ ઉકેલ આવ્યો નથી
નવસારી શહેરમાંથી મોટી સંખ્યામાં ડાયમંડ પેઢીના વેપારીઓ સુરત આપડાઉન કરે છે.મહિધરપુરાના હીરા બજાર બપોરે ઉઘડતા વેપારીઓ નવસારીથી 12 વાગ્યે ટ્રેન પકડે તો સુરત એક કલાકમાં પહોંચી જાય પણ કોરોના કાળ બાદ રેલવે વિભાગે કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે તો કેટલીક ટ્રેન બંધ કરી છે.જેને કારણે વેપારીઓનું કામ ખોરવાયું છે.હાલમાં વેપારીઓ 2 વાગ્યા બાદ આવતી ટ્રેન મા છેક 3 વાગ્યા બાદ સુરત પહોંચે છે જેને કારણે તેમના ધંધા અને નોકરી પર સીધી અસર પડે છે ત્યારે સવારે 10 થી 2 ની વચ્ચે લોકલ ટ્રેન શરૂ થાય તેવી લાંબા સમયથી માંગનો કોઈ ઉકેલ આવ્યો નથી.
ડાયમંડના વેપારીઓએ પણ તંત્ર પાસે માંગ કરી
ચૂંટણી જાહેર થતાં જ નવસારી શહેરને અડીને આવેલા અંચેલી ગામ સહિત 18 ગામના લોકોએ વિરાર સુરત અને વિરાટ ભરૂચ શટલને અંચેલી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળે તેની માંગ કરી હતી સાથે જ માંગણી નો ઉકેલ ન આવતા ટ્રેન નહીં તો વોટ નહીં ના બેનર ગામમાં મારતા તંત્રને ગ્રામજનોને સમજાવતા નવ નેજા પાણી ઉતર્યા હતા. મતદાનના બે દિવસ અગાઉ રેલવે તંત્રએ લેટર જાહેર કરીને અંચેલી ગામે ટ્રેનના સ્ટોપેજ ની જાહેરાત કરી હતી જેથી ગ્રામજનોની માંગણીનો આંદોલન કર્યા બાદ ઉકેલ આવ્યો હતો જેનું ઉદાહરણ લઈને હવે સુરત અપડાઉન કરતા ડાયમંડના વેપારીઓએ પણ તંત્ર પાસે માંગ કરી છે કે અમે કોઈ પણ જાતના આંદોલન કર્યા વગર અમારી માંગ ઉકેલાય તેવી અપેક્ષા રાખીએ છીએ.