ગત 2014ની લોકસભામાં ભાજપની જીત માટે જેને સૂત્રધાર માનવામાં આવે છે તેવા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર નીતિશ કુમારની પાર્ટી JDUમાં સત્તાવાર રીતે જોડાઇ ગયા છે. પટના ખાતે રવિવારે JDUની કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીની સદસ્યતા અપાવી.
Election strategist Prashant Kishor joins JDU in the presence of Bihar Chief Minister Nitish Kumar in Patna pic.twitter.com/UAkF3df2ee
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર રાજનેતા બની ગયા છે. આમ તો તેમની રાજનૈતિક કરિયર વિશે હંમેશા અટકળો લગાવવામાં આવે છે. થોડાં દિવસો પહેલાં જ પ્રશાંત કિશોરે રાજકારણમાં આવવાની શક્યતાને ફગાવતાં કહ્યું હતું કે હાલ તો તેનો આવો કોઈ જ ઈરાદો નથી. જો કે તેઓએ એમ પણ કહ્યું હતું કે 2019માં કોઈપણ પાર્ટી માટે તેવી રીતે જ પ્રચાર કરતાં નજરે પડશે જેવી રીતે તેઓ છેલ્લાં 4-5 વર્ષથી કરી રહ્યાં છે.
પ્રશાંત કિશોર તે સમયે ચર્ચામાં આવ્યા જ્યારે 2014માં ચૂંટણી પ્રચારમાં ભાજપના પ્રચારને તેમણે મોદી લહેરમાં બદલી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કિશોરે 2014માં ભાજપ 2015માં બિહારમાં મહાગંઠબંધન અને 2015માં ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભા માટે કોંગ્રેસ માટે કામ કરી ચૂક્યા છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રશાંત કિશોરના મતભેદના સમાચાર આવ્યાં હતા જે બાદ તેઓએ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન (RJD+JDU+કોંગ્રેસ)ના પ્રચારની કમાન સંભાળી હતી. જેમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેઓએ ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું કમાન સંભાળ્યું હતું. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની રણનીતિ કોઈપણ પાર્ટીની ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરે છે.