લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાજપે પ્રચંડ બહુમત મેળવીને એક વખત ફરીથી સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે માત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નહીં પરંતુ સાથે સાથે આ 30 દિગ્ગજ નેતાઓની પણ હાર થઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત બાદ સાંજે ભાજપ મુખ્યાલય પર તમામને ધન્યવાદ પાઠવ્યા અને આ જીતને દેશની જીત જણાવી. આશરે 350 સીટો પર બઢત બનાવનારી ભાજપ પાર્ટીએ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને હરાવી દીધા. આટલું જ નહીં અન્ય પાર્ટીઓના ઘણા દિગ્ગજ નેતાઓ જેમ કે પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસના ઉમેદવાર એચડી દેવગોડા પણ હારી ગયા. ઉર્મિલા માતોડકર જેવા ફિલ્મા નેતા પણ પોતાના સ્ટારડમ ચૂંટણી મેદાનમાં દેખાડી શક્યા નહીં, હાલ અમે તમને એવા દિગ્ગજ નેતાઓ માટે જણાવી રહ્યા છે, જેમને જનતાએ એમને જીતથી દૂર રાખ્યા.