હવે બેંકોમાં ખાતા ખોલાવવા પહેલાની સરખામણીએ સરળ થઇ ગયું છે. વાસ્તવમાં, UIDAI એ વરિફિકેશન માટે ડિજીટલ કેવાઇસીની વ્યવસ્થા પર જોર આપ્યું છે.
બેંક ખાતું ખોલવા માટે વેરિફિકેશનની પ્રક્રિયા ડિજીટલ KYC દ્વારા થશે. આ પ્રક્રિયા ગ્રાહકો માટે સરળ અને સુરક્ષિત હશે. આ સંબંધમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ના CEO અજય ભૂષણ પાંડેએ જાણકારી આપી છે.
તેઓએ કહ્યું, 'મોબાઇલ કનેક્શન આપવા માટે ડિજીટલ કેવાઇસી ટેલિકોમ સેક્ટરમાં સફળ છે. બેંક ખાતાઓમાં પણ જો કોઇની પાસે આધાર, મતદાતા ઓળખ પત્ર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ છે, તે ટેલિકૉમ સેક્ટરની જેમ ડિજીટલ KYC નો વિકલ્પ અપનાવી શકે છે.' તેઓએ આગળ કહ્યું કે કેવાઇસી માટે જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે, તે એને સુગમ, સુરક્ષિત અને છેતરપિંડી મુક્ત બનાવે છે. અજય ભૂષણ પાંડે કહ્યું કે ડિજીટલ કેવાઇસીથી એ લોકો માટે પ્રક્રિયા સરળ હશે જે બેંક ખાતા ખોલવા માટે પોતાનો આધાર નંબર શેર કરવા ઇચ્છતા નથી.
જણાવી દઇએ કે સરકારે ગત સપ્તાહે જ મની લોન્ડ્રિંગ નિરોધક નિયમોમાં સંશોધનને નોટિફાઇ કર્યું હતું. એમાં બેંક ખાતા ખોલાવવા માટે આધારના સ્વૈચ્છિક ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે. એની સાથે જ મતદાત ઓળખ પત્ર અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો દ્વારા વેરિફિકેશન મામલે ડિજીટલ કેવાઇસી માટે વિસ્તૃત પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોટિફિકેશનથી વેરિફિકેશનની વિભિન્ન પ્રણાલીઓના ઉપયોગનો રસ્તો ચોખ્ખો થયો છે. એમાં આધાર eKYC, ઑફલાઇન વેરિફિકેશન અને ડિજીટલ કેવાઇસી સામેલ છે. આ પ્રક્રિયા મ્યૂચ્યુલ ફંડમાં રોકાણ અને ડીમેટ અકાઉન્ટ ખોલવા માટે પણ અપનાવવામાં આવશે. જણાવી દઇએ કે KYC દ્વારા બેંક ગ્રાહક માટે સમગ્ર જાણકારી લે છે. કેવાઇસી દ્વારા આ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઇ બેંકિંગ સેવાઓનો દુરઉપયોગ તો કરી રહ્યું નથી ને.