બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Priyakant
Last Updated: 01:39 PM, 6 August 2022
મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સરકારનું કેબિનેટ વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ કેબિનેટ વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ અટકી જતાં હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓના અભાવને કારણે ઘણા વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે. જેના કારણે ઘણા વિકાસ કામો અટવાઈ પડ્યા છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ અહજી સુધી કેબિનેટ વિસ્તરણ થયું નથી. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહત્વનું છે કેમ, મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ઘણા આદેશો જેની તાત્કાલિક જરૂર છે તે તમામ અધિકાર મંત્રીઓ પાસે હોય છે. ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રાલયમાં છેલ્લા મહિનાથી અનેક અપીલો પડતર છે. તો વળી નવી સરકારની રચના થયાને 36 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. મંત્રીમંડળની રચના ન થવાને કારણે હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તા સચિવોને આપવાનો નિર્ણય કર્યો છે. તેના આદેશ રાજ્યના મુખ્ય સચિવે જાહેર કર્યા છે.
કેબિનેટ વિસ્તરણ ક્યારે ?
મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ અગાઉ 5 ઓગસ્ટે થવાનું હતું. જોકે હવે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ માટે વધુ રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ કેબિનેટનું વિસ્તરણ થવાની આશા છે. ગુરુવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના મુદ્દે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે
ગુરુવારે મહારાષ્ટ્રના કેબિનેટ વિસ્તરણને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું. મહારાષ્ટ્ર સરકારની રચના બાદ લાંબા સમય બાદ સરકારમાં મંત્રીઓને લઈને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)માં પણ સમજૂતી થઈ છે. ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, જ્યારે શિંદેની છાવણીના સાત ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્રની અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા ઘણા વરિષ્ઠ ધારાસભ્યોના પત્તાં કપાયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army