ગોરખપુરના ઝુમાં 1 નર 5 માદાને રાખવામા આવશે. હાલ પુરતા 8 સિંહોને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે. કેન્દ્રિય વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
મહત્વનુ છે કે, 1 મે રોજ 8 સિંહોને ઉત્તરપ્રદેશ મોકલવાના હતા. જેના માટે વનવિભાગની ટીમ 29 એપ્રિલે 8 સિંહોને સડક માર્ગે ઉત્તરપ્રદેશ લઈ જવા માટે નિકળ્યા હતા. રાજ્યમાં ગરમીનો પારો વધુ હોવાના કારણે વનવિભાગની ટીમ અજમેરથી પરત ફરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢનાં સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી માટે 7 સિંહોને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક સિંહણનું મોત થયું હતું. સિંહોનાં બદલામાં ઉત્તરપ્રદેશથી ઝીબ્રા અને ગેંડા જેવા પ્રાણીઓ ઉત્તરપ્રદેશથી એક્ષ્ચેન્જ કરવામાં છે. અગાઉ મકાઉ, સારસ બેલડું અને ઝરખ ગુજરાત લાવવામાં આવ્યા હતા.